gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જો…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in INDIA
0 0
0
પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જો…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Priyanka Gandhi on Hindu Minorities in Bangladesh: બાંગ્લાદેશમાં ‘ઇન્કલાબ મંચ’ના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. સિંગાપોરમાં સારવાર દરમિયાન હાદીના નિધન બાદ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. મૈમનસિંગ શહેરમાં 25 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ટોળાએ નિર્મમ હત્યા કરી દેતા હાહાકાર મચી ગયો છે. આ ઘટના અત્યારે ભારે ચર્ચામાં છે અને પ્રિયંકા ગાંધીએ પણ આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

શું છે સમગ્ર ઘટના?

18 ડિસેમ્બરની રાત્રે મૈમનસિંગ શહેરમાં એક ફેક્ટરીની બહાર ભીડે દીપુ ચંદ્ર દાસ પર ઈશનિંદા(ઈશનિંદા એટલે કોઈ પણ ધર્મ, પવિત્ર ગ્રંથો, દેવી-દેવતાઓ કે પયગંબરનું અપમાન કરીને ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપનો) આરોપ લગાવી તેને ઢોર માર માર્યો હતો. હિંસક ટોળાએ એટલેથી જ ન અટકતા, યુવકને ઝાડ સાથે લટકાવીને સળગાવી દીધો હતો. ત્યારબાદ તેના મૃતદેહને હાઈવે પર ફેંકી દેવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. હાલ પોલીસ સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રિયંકા ગાંધીએ ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો મુદ્દો

આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, ‘બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની બર્બર હત્યાના સમાચાર અત્યંત ચિંતાજનક છે. ભારત સરકારે પડોશી દેશમાં હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ લઘુમતીઓ વિરુદ્ધ વધતી હિંસાની ગંભીર નોંધ લેવી જોઈએ અને બાંગ્લાદેશ સરકાર સમક્ષ તેમની સુરક્ષાનો મુદ્દો મજબૂતીથી ઉઠાવવો જોઈએ.’

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? દિગ્ગજ નેતા થરુરે જણાવ્યા ‘ઉપાય’

બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નિવેદન

આ જઘન્ય અપરાધ બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારે 19 ડિસેમ્બર, 2025ના રોજ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. સરકારે આ ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે, ‘નવા બાંગ્લાદેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. આ ગુનામાં સામેલ કોઈપણ દોષિતને છોડવામાં આવશે નહીં. દરેક નાગરિક હિંસા અને નફરતને નકારી શાંતિ જાળવે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે.’

લઘુમતીઓમાં ફફડાટ

એક વર્ષ બાદ બાંગ્લાદેશમાં ફરીથી લઘુમતી સમુદાયોને નિશાન બનાવવામાં આવતા ત્યાં રહેતા હિન્દુ પરિવારોમાં ભારે ડરનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બાંગ્લાદેશમાં માનવ અધિકારો અને લઘુમતીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.


પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જોઈએ 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…
INDIA

VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…

February 10, 2026
વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનારા હુમાયૂંની પુત્રીનો પરિવાર ફસાયો, 18 કરોડની સંપત્તિ જપ્ત, જ…
INDIA

વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનારા હુમાયૂંની પુત્રીનો પરિવાર ફસાયો, 18 કરોડની સંપત્તિ જપ્ત, જ…

February 10, 2026
સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકસભામાં હાજરી નહીં આપે! …
INDIA

સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકસભામાં હાજરી નહીં આપે! …

February 10, 2026
Next Post
આખરે પોતાના ઘરે પરત ફર્યા સુરતની શિવ રેસિડેન્સીના 192 પરિવારો, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ …

આખરે પોતાના ઘરે પરત ફર્યા સુરતની શિવ રેસિડેન્સીના 192 પરિવારો, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ ...

બાંગ્લાદેશમાં શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? દિગ્ગજ નેતા થરુરે જણાવ્યા ‘ઉપાય’ | Bangladesh Crisi…

બાંગ્લાદેશમાં શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? દિગ્ગજ નેતા થરુરે જણાવ્યા 'ઉપાય' | Bangladesh Crisi...

સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધર…

સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવ…

સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવ…

1 month ago
કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

5 days ago
260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye…

260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye…

9 months ago
શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં સીમી અને સ્લિપર સેલની સંડોવણી | SIMI and Slipper Cell invol…

શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં સીમી અને સ્લિપર સેલની સંડોવણી | SIMI and Slipper Cell invol…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવ…

સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવ…

1 month ago
કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

5 days ago
260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye…

260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye…

9 months ago
શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં સીમી અને સ્લિપર સેલની સંડોવણી | SIMI and Slipper Cell invol…

શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં સીમી અને સ્લિપર સેલની સંડોવણી | SIMI and Slipper Cell invol…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News