અમદાવાદ, સોમવાર,8 સપ્ટેમ્બર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તા ઉપર હોવાછતાં
સંકલનનો અભાવ જોવા મળી રહયો છે. રિક્રીએશન કમિટીની બેઠકમાં શહેરમા ઓકિસજન પાર્ક કેટલા આવ્યા છે, ઓકિસજન પાર્ક
કોને કહેવાય એ અંગે બગીચા વિભાગ પાસેથી વિગત માંગવામા આવી છે. વર્ષ-૨૦૨૧થી ૨૦૨૩ની
અઢી વર્ષની ટર્મમા રિક્રીએશન કમિટીની અલગ
અલગ સમયે મળેલી બેઠકોમાં કુલ ૧૦૭ ઓકિસજન પાર્ક બનાવવા દરખાસ્તો મંજુર કરાઈ હતી.
જેમાં મીયાવાકી અને ડેન્સ પધ્ધતિથી પ્લાન્ટેશન કરવામા આવ્યુ હતુ.
કોર્પોરેશનની મોટાભાગની કમિટીઓના એજન્ડા ઉપર મંજુરી માટે
મુકાતી દરખાસ્તોમાં જે તે કમિટીના ચેરમેનને
ખાસ કાંઈ કરવાનુ હોતુ જ નથી.ચેરમેનને તો હાઈકમાન્ડ કે પ્રભારી અથવા પક્ષનેતા કહે એ
મુજબ કમિટીમા મુકાતી દરખાસ્ત મંજુર કે ના મંજુર કરવાની થતી હોય છે.આ જ કારણથી
મોટાભાગની કમિટીઓના ચેરમેન તેમના વિભાગ દ્વારા કરાતી વિવિધ પ્રકારની કામગીરી અંગે
જાણવા ખાસ ઉત્સાહ બતાવતા નથી.સોમવારે રિક્રીએશન કમિટી ચેરમેને મિડીયા સાથેની
વાતચીતમા કહયુ, બગીચા
વિભાગને શહેરમાં કયાં-કેટલા ઓકિસજન પાર્ક આવેલા છે, ઓકિસજન પાર્કની ચોકકસ વ્યાખ્યા શું છે. ગાર્ડન કમ ઓકિસજન
પાર્ક કયાં અને કેટલાં છે તે અંગે સંપૂર્ણ વિગત માંગવામાં આવી છે.
ઝોન વાઈસ કયાં-કેટલા ઓકિસજન પાર્ક
ઝોન ઓકિસજનપાર્ક
મધ્ય ૦૪
ઉત્તર ૧૩
દક્ષિણ ૦૭
દ.પ. ૨૨
પૂર્વ ૨૭
ઉ.પ. ૧૫










