
– રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના અધિકાર મુદ્દે 10 દિવસ સુનાવણી ચાલી
– સુપ્રીમે બંધારણની વ્યાખ્યા સુધી મર્યાદિત રહેવું જોઈએ, તે રાજકીય ક્ષેત્રના દરેક મુદ્દાનું સમાધાન કરનાર ‘હેડમાસ્ટર’ નથી : કેન્દ્ર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ સંદર્ભ એટલે કે પ્રેસિડેન્શિયલ રેફરન્સ મુદ્દે ૧૦ દિવસ સુધી સરકાર અને રાજ્યોની દલીલો સાંભળ્યા પછી તેનો ચૂકાદો અનામત રાખ્યો છે. રાષ્ટ્રપતિ સંદર્ભમાં રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને સવાલ કર્યો કે શું બંધારણીય કોર્ટ રાજ્યોની વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા નિશ્ચિત કરી શકે કે કેમ?
સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના અધ્યક્ષપદે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે રાષ્ટ્રપતિ સંદર્ભ પર ૧૯ ઑગસ્ટે સુનાવણી શરૂ કરી હતી. ન્યાયાધીશ સૂર્યકાંત, વિક્રમનાથ, પીએસ નરસિંહા અને એએસ ચંદુરકરને સમાવતી બંધારણીય બેન્ચે ગુરુવારે ચૂકાદો અનામત રાખ્યો હતો.










