
Arvind Kejriwal New Sheesh Mahal In Punjab : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ભાજપે પંજાબમાં વધુ એક ‘શીશમહેલ’ બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. દિલ્હી ભાજપે ગુગલ અર્થની સેટેલાઇટ તસવીર શેર કરીને દાવો કર્યો છે કે, કેજરીવાલે હવે પંજાબમાં દિલ્હી કરતાં પણ ભવ્ય શીશમહેલ બનાવ્યો છે. રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલે પણ આ તસવીર શેર કરીને આવો જ આક્ષેપ કર્યો છે. જોકે, આમ આદમી પાર્ટીએ આ દાવાને રદીયો આપ્યો છે અને ભાજપને એલોટમેન્ટ લેટર બતાવવાનો પડકાર ફેંક્યો છે.










