![]()
Bihar News : બિહારના રાજકારણને લગતા એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને તેમની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) રાજ્યસભાની ચૂંટણી લડાવી શકે છે. જોકે આ વાત સાચી ઠરે તો નીતિશ કુમાર બિહારના સીએમ પદેથી હટી શકે છે. જે બિહારના રાજકારણ માટે એક મોટો ઉલટફેર ભર્યો નિર્ણય સાબિત થશે.
તો પછી ભાજપના સીએમ બનશે?
એવી પણ ચર્ચા છે કે જો નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો પછી સીએમ પદે બિહારના કોઈ નેતાની પસંદગી કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર સતત 9 વખત બિહારના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. તેઓ બિહારના ઈતિહાસમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી પદના શપથ લેનારા નેતા છે.
નીતિશ કુમારના દીકરાનું નામ પણ ચર્ચામાં હતું…
માહિતી અનુસાર રાજ્યસભાની બેઠક પર પહેલા નીતિશ કુમારના દીકરા નિશાંત કુમારને ચૂંટણી લડાવવાની ચર્ચા કરાઈ હતી પણ હવે ખુદ નીતિશ કુમારનું નામ ચર્ચામાં છે. જેડીયુના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા પણ દિલ્હી રવાના થઈ ગયા છે. એવી ચર્ચા છે કે સંજય ઝા ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે સંપર્કમાં છે.










