
Bihar Train Accident : બિહારમાં જસીડીહ-ઝાઝા રેલખંડ પર શનિવારે મોડી રાત્રે એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાને કારણે દિલ્હી-હાવડા મુખ્ય માર્ગ પર રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેના કારણે બંને દિશાની ટ્રેનોની અવરજવર અટકી ગઈ છે.










