
PM Modi Bihar Visit: વિધાનસભા ચૂંટણીની ઘોષણા પછી બીજી વખત બિહાર પહોંચેલા પીએમ મોદીએ પહેલાની તુલનામાં એકદમ અલગ અંદાજ બતાવ્યો. આ વખતે તેમણે વિપક્ષી દળો, ખાસ કરીને આરજેડી (RJD) અને કોંગ્રેસના નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો. આ સાથે જ તેમણે ‘જંગલરાજ’ અને ‘કુશાસન’ના નામે વિપક્ષને ઘેર્યા પણ ખરા.
‘બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી’: પીએમ મોદી
પીએમ મોદીએ બુધવારે મુઝફ્ફરપુરની જનસભામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર પ્રહાર કર્યા હતા.










