![]()
વડોદરા : લવ જેહાદની કાર્યવાહીથી બચવાના બદલામાં રૃા.૬ લાખની લાંચની
માંગણી કરી રૃા.૨ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે
અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,
ેભ્રષ્ટાચાર એ એક ગંભીર આર્થિક અને સમાજીક
ગુનો છે, જેની દેશની અર્થવ્યવસ્થા અને સમાજ પર વિપરીત અસર
પડે છે.
કેસની વિગત એવી છે કે, હિન્દુ પત્ની અને મુસ્લિમ પતિ વચ્ચે ઝઘડો થયો
હતો એટલે બંનેને પાદરા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતાં. જે તે સમયે પોલીસે અટકાયતી
પગલાની કામગીરી કરી હતી. આ વખતે પાદરાના પીઆઇના ધ્યાનમાં આવ્યું હતું કે આ તો લવ
જેહાદનો કિસ્સો છે જેથી તેમણે પતિ અને પત્નીને જણાવેલ કે આમાં લવ જેહાદનો ગુનો બને
છે. આગળની કાર્યવાહી ના કરવી હોય તો ચાણસદમાં રહેતા સાજીદઅલી ગુલામરસુલ સૈયદને મળી
લેજો. ફરિયાદી સાજીદને મળ્યા ત્યારે તેણે રૃા.૬ લાખની માંગણી કરી હતી અને આખરે બે
લાખ આપવાના નક્કિ થયા હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે આ અંગે એસીબીમાં ફરિયાદ
નોંધાવતા આરોપી સાજીદ રૃા.૨ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.પોલીસ ધરપકડ બાદ હાલ
જેલમાં રહેલા આરોપી સાજીદઅલીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, તેમને
આ કેસમાં ખટી રીતે સંડોવી દેવામાં આવ્યાં છે. જ્યારે મુખ્ય સરકારી વકીલ અનિલ
દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપી પાસેથી લાંચની રકમ રિકવર થઈ
છે, તેના હાથ પર પાવડરના નિશાન મળ્યા છે અને તે સ્થળ પરથી
પકડાયો છે.









