![]()
– બોટાદ જિલ્લા પોલીસ વડાએ કર્યો હુકમ
– ફરજમાં બેદરકારી દાખવવા બદલ મહિલા એએસઆઈ સહિત બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા
ભાવનગર : બોટાદમાં દારૂના કેસમાં પકડાયેલા ઈસમની લોકઅપમાં અચાનક તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલે ખસેડા હતા. જ્યાં તેનું મોત થયું હતું આ મામલે બોટાદ જિલ્લા પોલીસવડાએ પોલીસની કામગીરીમાં ક્ષતિઓને લઇ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
બોટાદમાં તા.૩૧ ઓગસ્ટના રોજ દારૂના કેસમાં પકડાયેલા ભરતભાઈ બચુભાઈ ગોહિલની તબિયત અચાનક લથડી હતી. તેમને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને મૃતકના પુત્ર એ જ પિતાની હત્યા કરી હોવાનું ખુલતાની સાથે જ બોટાદ પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે સમગ્ર તપાસ બોટાદ જિલ્લા પોલીસવડા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેની પ્રાથમિક તપાસમાં એએસઆઈ જયરાજ ખાચર અને અસ્મિતા ઝાપડિયાની કામગીરીમાં ક્ષતિઓ જોવા મળી હતી. બેદરકારી બદલ બંને કર્મચારીને એસપીએ ફરજમાં તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યાં છે.










