![]()
Bharuch Accident : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ખાતે આવેલ પંખાજણ ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે ખાનગી કંપનીના કર્મચારીનું મોત નીપજતા ફરિયાદના આધારે વાગરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાગરા તાલુકાના પખાજણ ગામે લેબર કોલોની પાસે અજાણ્યો વાહન ચાલક કંપનીના કર્મચારીનું મોત નીપજાવી નાસી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. 45 વર્ષીય અમૃત ચંદ્રજીત મહતો (રહે-પખાજણ ગામ પાસેની, લેબર કોલોનીમાં, મૂળ રહે-ઝારખંડ ) સ્કોન પ્રોજેક્ટ કંપનીમાં હેલ્પર તરીકે કોન્ટ્રાક હેઠળ કામ કરતા હતા. ગઈકાલે રાત્રે તેઓનું કોલોનીથી વાગરા તરફ જવાના માર્ગ ઉપર અજાણ્યા વાહનની અડફેટે ગંભીર ઇજાઓ પહોંચવાથી તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે વાગરા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના સંદર્ભે કોન્ટ્રાક્ટ એજન્સીના સુપરવાઇઝરની ફરિયાદના આધારે પોલીસે અજાણ્ય વાહન ચાલક સામે એમવીએક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.










