
Bangladesh Violence : ભારત અને બાંગ્લાદેશના સંબંધો હવે વધુ ખટાશભર્યા થઈ ગયા છે. ભારતની કાર્યવાહીથી તમતમી ગયેલા બાંગ્લાદેશે વળતાં જવાબમાં નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનથી કોન્સ્યુલર અને વિઝા સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. એક દિવસ પહેલા, ભારતે બાંગ્લાદેશના દક્ષિણપૂર્વ બંદર શહેર ચટ્ટોગ્રામમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રમાં વિઝા સેવાઓ આગામી સૂચના સુધી સ્થગિત કરી દીધી હતી. સૂત્ર મુજબ ભારતના કટ્ટર વિરોધી અને શેખ હસીના સરકારને ઉથલાવનાર શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ થયેલી હિંસા પછી બંને દેશોમાં સંબંધ વધુ બગડ્યા છે.
અનિવાર્ય સંજોગોનું આપ્યું કારણ










