
વડોદરાઃ ભારતમાં ગ્લોબલાઈઝેશનની નીતિઓ લાગું થયે ૩૫ વર્ષ થઈ ચૂકયા છે. આજે ભારત દુનિયાનું ચોથા નંબરનુ અર્થતંત્ર બની ચૂકયું છે.આ સમયગાળામાં ભારત પર તેની શું અસર થઈ છે તે જાણવા માટે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બિઝનેસ ઈકોનોમિક્સ વિભાગના સંશોધક અપર્ણા ગંગાધરને વરિષ્ઠ અધ્યાપક ડો.અર્ચના ફુલવારીના હાથ નીચે પીએચડી કર્યું છે.










