![]()
– બીજા તબક્કાના 687 પૈકી 127 ખેડૂતોને 15 ઓક્ટો. સુધીની છુટ અપાઇ
– 60 દિવસની મર્યાદામાં માત્ર 25 કામો થયા, અગસ્ટના ફેસની મુદત લંબાવવા માંગ
ભાવનગર : ખેતરોની મૌલાતને સુરક્ષિત રાખવા તાર ફેન્સિંગ યોજના અમલી છે જે અંતર્ગત ત્રણ તબક્કામાં મંજુર થયેલ ૧૧૨૭ પૈકી ૨૫ ખેતરોમાં સંપૂર્ણ અમલ થઇ શક્યો છે. જ્યારે બીજા ફેસમાં ૬૦ દિવસની મુદતમાં વરસાદને લઇ ૬ ઓક્ટો.ના પૂર્ણ થતી હોય સમય મર્યાદા વધારવા માંગ ઉઠી છે.
પાકના રક્ષણ માટે ખએતર ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના અમલી છે જેમાં એક મીટરે રૂા.૨૦૦ની સહાય કામ પૂર્ણ થયે ચુકવણું થતું હોય છે. સામાન્ય રીતે આ યોજના હેઠળ તબક્કાવાર ત્રણ ફેસમાં ખેડૂતોની અરજી પાસ કરવામાં આવી હતી જેમાં એપ્રિલમાં ૪૪, ઓગસ્ટમાં ૬૮૭ અને સપ્ટેમ્બરમાં ૩૯૬ જે તે તાર ફેન્સિંગ કરવા ૬૦ દિવસની સમય મર્યાદા અપાઇ હતી. આમ જિલ્લાના કુલ ૧૧૨૭ ખેડૂતોને પોતાના ખેતર ફરતા તાર ફેન્સિંગની અરજી ખેતીવાડી વિભાગ દ્વારા મંજુર કરાઇ હતી. પ્રથમ ફેસમાંથી ૨૫ જેટલા કામો પૂર્ણ થયા હતા તો કેટલાક ખેડૂતોએ તાર ફેન્સિંગનો લાભ લીધો ન હતો. જ્યારે બીજા ફેસમાં ૬ ઓગસ્ટ
ે મંજુર કરેલ ૬૮૭ ખેડૂતોની મુદત ૬ ઓક્ટોબરે પૂર્ણ થતી હોય જે મુદતમાં હાલના ચોમાસાના દિવસોને કારણે કામ પૂર્ણ કરવું શક્ય બન્યું ન હોય તે વધારી આપવા સામુહિક રજૂઆત ભાવેશ ગાબાણીએ કરી છે. જો કે, સુત્રો પાસેથી મળતી વિગતે આ ૬૮૭ પૈકીના ૧૨૭ ખેડૂતોએ વ્યક્તિગત મુદત લંબાવવા માંગ કરતા તંત્રએ ૧૫ ઓક્ટો. સુધીની મુદત લંબાવી હોવાનું જણાયું છએ. જ્યારે તાજેતરમાં સપ્ટે.માં તાર ફેન્સિંગની નવી ૩૯૬ ખેડૂતોની અરજી મંજુર કરાઇ છે. જે નવે.માં ૬૦ દિવસની મુદત પૂર્ણ થશે. આમ સરકારી યોજના હેઠળ મંજુરી ૧૧૨૭ને અપાઇ હોવા છતાં માંડ ૨૫ ખેડૂતો સુધી યોજનાકીય લાભ મળી શક્યો છે.
તાલુકાવાર મંજુર થયેલ તાર ફેન્સિંગ
|
ઉમરાળા |
૯૯ |
|
ગારિયાધાર |
૧૨૮ |
|
ઘોઘા |
૮૩ |
|
જેસર |
૫૪ |
|
તળાજા |
૧૫૯ |
|
પાલિતાણા |
૮૧ |
|
ભાવનગર |
૬૫ |
|
મહુવા |
૧૦૧ |
|
વલ્લભીપુર |
૧૩૪ |
|
સિહોર |
૨૨૦ |
|
કુલ |
૧૧૨૭ |










