![]()
અમદાવાદ, શનિવાર
મણીનગરમાં રેલવે ફાટક બંધ હોવા છતાં ઉતાવળે જવાની લ્હાયમાં યુવકે પાટા ઓળંગ્યા હતા. આ સમયે ટ્રેન નીચે આવી જતાં યુવકનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ બનાવ અંગે મણીનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
ઓળખના પુરાવા ન મળ્યા ઃ સીસીટીવી ફૂટેજ આધારે આપઘાત કે અકસ્માતે મોત અંગે તપાસ
મણીનગર વિસ્તારમાં આજે સાંજે પોણા સાત વાગે ટ્રેન આવવાની હોવાથી ફાટક બંધ કરવામાં આવ્યું હતું. આ સમયે એક અજાણ્યો ૪૦ વર્ષનો યુવક વહેલા જવાની લ્હાયમાં ફાટક બંધ છતાં પાટા ઓળંગીને જવાનો પ્રયાસ કરતો હતો આ સમયે ફાટકની બન્ને બાજુ ઉભા રહેલા લોકોએ બુમાબુમ કરી તો પણ યુવક રેલવેગાડીની અડફેટે આવી જતાં મોતને ભેટયો હતો. આ ઘટના રેલ્વે ફાટક ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ ઘટનાની જાણ થતાં મણીનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો પોલીસે તપાસ કરતાં મૃતક યુવક પાસેથી મોબાઇલ કે પછી ઓળખના કોઇ પુરાવા મળ્યા ન હતા. પોલીસે આસપાસના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નાંેધ અને સીસીટીવી ફૂટેજ આધારે યુવકની ઓખળ પરખની કરવાની કવાયત હાથ ધરી છે.










