
– લોનનો હપ્તો ભરવાનું કહેતા ઝઘડો થયો હતો
– ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી આરોપીઓને જેલહવાલે કર્યાં
ભાવનગર : મહુવાના જનતાપ્લોટ વિસ્તારમાં લોનનો હપ્તો ભરવાનું કહેતા સર્જાયેલી મારા મારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે. બનાવમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરી હતી. તેમજ ઝડપાયેલા આરોપીઓનું ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરી જિલ્લા જેલહવાલે કર્યાં હતા.










