![]()
24મીએ મહાયાગની પૂર્ણાહુતિ થશે
અખંડ
નવચંડી યજ્ઞા, ૧.૦૮ કરોડ આહુતિ અને સાડા છ મહિનાના મહાઅનુાન માટે વર્લ્ડ રેકોર્ડની ટીમ
પ્રમાણપત્ર આપશે
માંડલ –
માંડલની પવિત્ર ધરા પર આવેલા જગવિખ્યાત શ્રી ખંભલાય માતાજીના
ધામમાં છેલ્લા ૯ દિવસથી ચાલી રહેલો ‘ન ભૂતો ન ભવિષ્યતિદ
લક્ષચંડી મહાયાગ હવે તેની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. નગરના ૮ હજાર વર્ષના
ઇતિહાસમાં પ્રથમવાર યોજાયેલા આ દિવ્ય મહોત્સવમાં આજે ૨૩મી ડિસેમ્બરના રોજ એક સાથે
ત્રણ વિશ્વ વિક્રમ (વર્લ્ડ રેકોર્ડ) સ્થાપિત થવા જઈ રહ્યા છે.
ત્રણ
વૈશ્વિક કીતમાન અને વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડની ટીમ આજે માંડલ ખાતે ઉપસ્થિત
રહી ખંભલાય ટ્રસ્ટને ત્રણ વિશિષ્ટ સિદ્ધિઓ માટે પ્રમાણપત્ર એનાયત કરશે. (૧) વર્ષ
૨૦૧૫થી નિજ મંદિરે ચાલી રહેલ અખંડ નવચંડી યજ્ઞાનો રેકોર્ડ. (૨) ૧.૦૮ કરોડથી વધુ
આહુતિઓ અર્પણ કરવાનો રેકોર્ડ. (૩) સાડા છ માસ દરમિયાન થયેલા ૧.૨૩ લાખથી વધુ
ચંડીપાઠના મહાઅનુાનનો રેકોર્ડ.
આ
પ્રસંગે પુસ્તકનું વિમોચન કરવામાં આવશે,
જેમાં માંડલનો ૮૩૦ વર્ષ જૂનો ઇતિહાસ, કુત્સસ
ગૌત્રી બ્રાહ્મણ પરિવારોના રીત-રિવાજો અને ૧૫૦થી વધુ ગરબાઓનો સંગ્રહ છે.
યજ્ઞાશાળામાં આહુતિઓનું લક્ષ્ય વટાવી ૧૦થી ૧૫ લાખ વધુ આહુતિઓ હોમવામાં આવી રહી છે,
જે સમગ્ર વાતાવરણને દિવ્ય ઉર્જાથી ભરી દેશે.
રાસ-ગરબા
અને પૂર્ણાહુતિનું આયોજન મહોત્સવ દરમિયાન ૬૪ જોગણી માતાના સાક્ષાત્કાર સમાન
રાસ-ગરબા અને મહાઆરતીમાં ભક્તોનો ભારે
ઉત્સાહ જોવા મળ્યો હતો. આવતીકાલે ૨૪મી ડિસેમ્બરે યજ્ઞાની પૂર્ણાહુતિ થશે. આ
પ્રસંગે તમામ યજમાન પરિવારોને પૂજામાં વપરાયેલી કીટ અને ભેટ સુપ્રત કરવામાં આવશે.
પૂર્ણાહુતિના માનમાં ૨૪મીએ સાંજે ૭ કલાકે મહાત્મા હાઈસ્કૂલ ખાતે સમસ્ત નગરજનો માટે
મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.










