![]()
વિરમગામઃ
વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવ સ્થિત વડલાવાળા મેલડી માતાજીના મંદિરે ચૈત્રી પૂનમે
૩૮મો નવચંડી યજ્ઞા શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયો હતો. બ્રહ્માલીન ભગવાન દાદાની
પ્રેરણાથી શરૃ થયેલી આ પરંપરામાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. નોંધનીય
છે કે અહીં છેલ્લા ૩૭ વર્ષથી દાતાઓના સહયોગથી સતત બટુક ભોજન પણ ચલાવવામાં આવે છે.










