અમદાવાદ, મંગળવાર
પૂર્વ વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચઢાવવા માટે નશીલા પદાર્થોની હેરાફેરી વધી રહી છ.મેઘાણીનગરમાંથી પ્રેમી પંખીડા અને ખોખરામાં બે યુવકો સહિત ચાર લોકોને પોલીસે રૃા. ૧૦ લાખના ૨૦.૧૭૧ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. જેમાં મેઘાણીનગરમાં યુવક અને મહિલાને પોલીસે રૃા. ૫.૧૨ લાખના ૧૦.૨૫૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે તથા ખોખરામાં ચાદર નીચે સંતાડીને લઇ જતા બે આરોપીને પોલીસે રૃા. ૪.૯૬ લાખના ૯.૯૨૧ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા હતા.
મેઘાણીનગરથી ૧૦.૨૫૦ કિલોગ્રામ ઃ ખોખરામાં ચાદર નીચે સંતાડીને લઇ જતા ૯.૯૨૧ કિલોગ્રામ ગાંજા સાથે બે પકડાયા
મેઘાણીનગર પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં મહિલા અને યુવકને અટકાવ્યા હતા. તેમની પાસે રહેલા થેલામાંથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેમની પાસેથી રૃા. ૫.૧૨ લાખનો ૧૦.૨૫૦ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઇન્દ્રવદન બારોટ અને મેઘાણીનગરની મહિલાને પકડયા હતા. પૂછપરછ કરતા ગાંજો છારાનગરની અનિતાએ આપ્યો હતો. જેથી પોલીસે તેની પણ શોધખોળ શરુ કરી છે. ઝડપાયેલ બન્ને આરોપી પ્રેમીપંખીડા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી ઇન્દ્રવદન સામે કડી પોલીસ સ્ટેશનમાં મારા મારી સહિતની કલમ હેઠળ ચાર ગુના નોંધાયેલ છે. જ્યારે ઉમલા સામે એનડીપીએસના બે ગુના નોંધાયેલા છે.
ખોખરામાં હાટકેશ્વર સ્મશાન પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ ટુ-વ્હીલર ચાલકને રોકીને તપાસ કરતા કાળા કલરના થેલાની ઉપર ચાદર ઓઢાડેલી હતી. પોલીસે ચાદર હટાવીને થેલાની તપાસ કરતા તેમાંથી રૃા. ૪.૯૬ લાખનો ૯.૯૨૧ કિલો ગાંજાનો જથ્થો મળ્યો હતો. જેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે વસ્ત્રાલમાં રહેતા બસીરખાન ઉર્ફે કાલીયા વાહીદખાન પઠાણ અને ગોમતીપુરના અહેમદ હુસેન અંસારીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા અહેમદ હુસેન સુરત ગયો હતો. અને ત્યાંથી ગાંજાનો જથ્થો સુરતના કાલુ ઓરિસ્સાવાળા પાસેથી ખરીદીને છૂટક વેચાણ કરવા લાવ્યો હતો અગાઉ પણ બે વખત સુરતથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો.










