
અમદાવાદ,શુક્રવાર,5 ડિસેમ્બર,2025
અમદાવાદમાં આવેલા નદી ઉપરના બ્રિજ, રેલવે બ્રિજ તથા
ફલાયઓવરબ્રિજ મળીને તમામ ૮૨ બ્રિજના સાયન્ટીફીક ટેસ્ટ કરી ઈન્સપેકશન રીપોર્ટ
શહેરીજનો સમક્ષ મુકવા વિપક્ષ તરફથી માંગણી કરાઈ છે. વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહયુ, ૩૦ બ્રિજનુ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્સપેકશન કરવામા આવ્યુ હતુ.છતાં એક પણ બ્રિજનો
ઈન્સપેકશન રીપોર્ટ જાહેર કરાયો નથી.
શહેરમા આવેલા ૮૨ બ્રિજ પૈકી ૭૦ બ્રિજનુ મેઈન્ટેનન્સ
કોર્પોરેશન તથા ૧૨ બ્રિજનુ મેઈન્ટેનન્સ રેલવે દ્વારા કરવામા આવે છે.ગંભીરાબ્રિજની
ઘટના પછી શહેરના તમામ બ્રિજના ઈન્સપેકશનની જાહેરાત કરાઈ હતી.પરંતુ માત્ર ૩૦
બ્રિજનુ સામાન્ય ઈન્સપેકશન જ કોર્પોરેશને કર્યુ છે.સુભાષબ્રિજ ઉપર તિરાડ પડવા જેવી
બાબતને ધ્યાનમા લઈ બ્રિજ ઈન્સપેકશન વખતે કરવામા આવતા હેમરીંગ ટેસ્ટ, લોડ ટેસ્ટ, વાઈબ્રેશન ટેસ્ટ
સહિતના ૧૩ ટેસ્ટ ઉપરાંત પીયર અને પીયર કેપમાં તિરાડોનુ ચેકીંગ તથા ટેસ્ટ પાઈલ્સ
તથા પાઈલ કેપની હયાત સ્થિતિ સહીતના ૭ ટેસ્ટ કરી તેના રીપોર્ટ લોકો સમક્ષ જાહેર
કરાશે તો સાચી સ્થિતિ સામે આવશે.










