અંકલેશ્વર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભરૂચ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આયોજિત ધ્વજવંદન સમારોહ પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રીએ રાત્રે ૧૧ વાગ્યે અંકલેશ્વર ખાતે આવેલ CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી.
મોડી રાત્રે કરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ CHC સેન્ટરની તબીબી સેવાઓ, ઈમરજન્સી વ્યવસ્થા, દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા તેમજ રાત્રિના સમયે ફરજ પર ઉપસ્થિત તબીબી અને પેરામેડિકલ સ્ટાફની કામગીરી અંગે સ્થળ પર માહિતી મેળવીને દિવસ-રાત નાગરિકોને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે મંત્રીએ અધિકારીઓ અને તબીબી સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
ભરૂચ જિલ્લાના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસના ગૌરવપૂર્ણ રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહ પૂર્વે આરોગ્ય સેવાઓની વાસ્તવિક સ્થિતિની જાત મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવાનો મંત્રીનો આ પ્રયાસ રાજ્ય સરકારની ‘સતત સેવા, સંવેદનશીલ સુશાસન’ની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.










