
મૃતકના ભાઈએ ચાર શખ્સ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી
વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરી ધમકી આપી એકટીવા પડાવી લીધું
ભાવનગર – શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે રહેતા યુવાને કેટરિંગના વ્યવસાય માટે વ્યાજે રૃપિયા લીધા હતા. લીધેલા વ્યાજની પઠાણી ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું હતુ.
કૃષ્ણનગર મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ સાઈ જ્યોત ફ્લેટમાં રહેતા કૃણાલભાઈ ઉમેશભાઈ માંડળીયાના નાનાભાઈ મેહુલભાઈ ઉમેશભાઈ માંડળીયા કેટરીંગના ધંધો કરતા હતા અને કેટરિંગના વ્યવસાયમાં પૈસાની જરૃર પડતા પીન્ટુ ચસ્કા મસ્કા વાળા તથા રવી ચંદુભાઈ ખોખર, ગોપાલ તેમજ લાલા સાટીયા (રહે.










