
Delhi High Court News : લાંચનાં નાણા શેરબજારમાં રોકી કમાવેલો નફો અપરાધથી કમાયેલી કરેલી આવક ગણવામાં આવશે અને આ રકમને મની લોન્ડરિંગ માનવામાં આવશે તેમ દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું છે.
કોર્ટે જણાવ્યું છે કે જો કોઇ વ્યકિતએ લાંચનાં નાણાંથી રોકાણ કર્યુ છે અને આ રોકાણની કીંમત વધવા પર આ ધનનો ગેરકાયદે સ્ત્રોત શુદ્ધ થઇ જતો નથી અને આ વધેલી રકમ પણ તે જ ગેરકાયદે સ્ત્રોતથી જોડાયેલ હોય છે.
ન્યાયમૂર્તિ અનિલ ક્ષેત્રપાલ અને ન્યાયમૂર્તિ હરીશ વૈધનાથન શંકરની ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે મની લોન્ડરિંગ એક સતત અપરાધ છે, જે ફક્ત ગેરકાયદે ધન અર્જિત કરવાની પ્રારંભિક ક્રિયા સુધી મર્યાદિત નથી પણ તેમાં એ ધનની વિભિન્ન લેવડદેવડ પણ સામેલ છે.










