![]()
અમદાવાદ,મંગળવાર,6
જાન્યુ,2026
અમદાવાદના વિવિધ વિસ્તારમાં રોજી રોટી મેળવતા લોકોના
લારી-ગલ્લા ઉપાડતા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ઘાટલોડીયા વોર્ડમાં સરકારી જગ્યામાં
બનેલા વીસથી વધુ મકાન પૈકી બે મકાનને ગૃડા એકટ અંતર્ગત ઈમ્પેકટ ફી વસૂલીને નિયમિત
કર્યા છે. સરકારી જગ્યામાં બંધાયેલા મકાનને નિયમિત કરાતા દેવમંદિર કો-ઓપરેટીવ
હાઉસીંગ સોસાયટી દ્વારા રાજય સરકારના શહેરી વિકાસ વિભાગના સેક્રેટરીને ફરિયાદ
કરવામા આવી છે. આ મકાનોને નિયમિત કરવા કોર્પોરેશને આપેલા સર્ટિફિકેટ રદ કરવા લેખિત
રજૂઆત કરી છે.હાલમા એપેલેટ ઓથોરીટી સમક્ષ સુનાવણી ચાલી રહી છે.સ્નેહાંજલિના કેસમાં
બિલ્ડરની ભૂમિકા છતાં તમામ મકાન ગેરકાયદેસર હોવાનુ કહી કોર્પોરેશને તોડી પાડયા
હતા. જયારે ઘાટલોડીયામા તો સરકારી જગ્યામા બનેલા મકાન તોડવાના બદલે કોર્પોરેશન
ઈમ્પેકટ ફી લઈ કાયદેસર કરી આપે છે.
શહેરી વિકાસ વિભાગના સેક્રેટરી સમક્ષ થયેલી ફરિયાદમાં
સોસાયટીના સભ્યોએ જ પોતાની સોસાયટીની જમીનમાં આ બે મકાન આવતા નથી.તેમ છતાં તેમની
સોસાયટીનો ઉલ્લેખ કરીને ઈમ્પેકટ ફી વસૂલી હોવાની રજૂઆત કરી છે.જે સંદર્ભમાં
સુનાવણીનો આરંભ કરાયો છે.આ સમગ્ર ગેરરીતીમાં ઘાટલોડીયાના સ્થાનિક કોર્પોરેટર
ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગના ત્રણ અધિકારીઓની મિલીભગત હોવાથી તેમની
સામે પણ કાર્યવાહી કરવામા આવે તેવી રહીશો તરફથી માંગણી કરાઈ રહી છે.ઘાટલોડીયા
વોર્ડમાં આવતી ચાંદલોડીયાની ટી.પી.સ્કીમ. નંબર-૧ના ફાઈનલ પ્લોટ નંબર-૫૯માં આવેલા
મકાન નંબર-૬૭ અને ૬૮ના બાંધકામને કોર્પોરેશને ઈમ્પેકટ ફી વસૂલી નિયમિત કરી આપ્યા
તેના નિયમિતકરણના હુકમમા દેવ મંદિર કો ઓપરેટીવ સોસાયટી તથા ફાઈનલ પ્લોટ નંબર-૬૦નો
સ્પષ્ટ ઉલ્લેખ કરવામા આવ્યો છે.જયારે
દેવમંદિર કો ઓપરેટીવ સોસાયટીના રેવન્યુ રેકર્ડ મુજબ, મકાન નંબર-૬૭ અને
૬૮ સોસાયટીના ફાઈનલ પ્લોટની કુલ ૮૧૧૪ ચોરસ મીટર જમીન ઉપર આવેલા જ નથી.ગાંધીનગર
એપેલેટ ઓથોરીટી સમક્ષ અપીલ દાખલ થયેલી છે.
અત્યાર સુધીમાં પાંચ સુનાવણી થઈ ગઈ છે.તમામ સુનાવણી દરમિયાન ઉત્તર -પશ્ચિમ ઝોનના
અધિકારીઓ દ્વારા તંત્રના બચાવ માટે
વિરોધાભાસી જવાબ રજૂ કરવામા આવી રહયા છે.
કલેકટરના હક વાળી જગ્યામાં કોર્પોરેશને બાંધકામ કાયદેસર કરી
આપ્યા
ગાંધીનગર એપેલેટ ઓથોરીટી સમક્ષ ચાલતી સુનાવણી દરમિયાન મકાન
નંબર-૬૭ અને ૬૮ જે જમીન ઉપર આવેલા છે તે જમીન સરકારને એલોટ કરવામા આવી છે.એફ ફોર્મ
મુજબ પણ આ જમીન ઉપર કલેકટરનો હકક દર્શાવવામા આવેલો છે.આ પરિસ્થિતિમા પણ
કોર્પોરેશનના એસ્ટેટ ખાતાએ ખાનગી મકાન
કાયદા વિરૃધ્ધ નિયમિત કર્યા જે શંકાસ્પદ બાબત છે.અધિકારીઓની ગેરરીતી હોવાનુ
જણાઈ આવે છે.
સોસાયટીના માર્જિનની જગ્યામા બાંધકામને લઈ નોટિસ અપાઈ
વર્ષ-૨૦૧૧મા મકાન નંબર-૬૭ અને ૬૮ના બાંધકામને કોર્પોરેશન
તરફથી નિયમિત કરાયા હતા.બીજી તરફ સોસાયટીના ૭૬ મકાનને માર્જિનની જગ્યામા બાંધકામ
થયેલ હોવાથી નોટિસ અપાઈ હતી.










