![]()
Vadodara : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ભાયલી-કેનાલ રોડ પાસે આવેલી નીલાંબર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી આતંક મચાવનાર કિપરાજને આખરે વન વિભાગે પાંજરે પૂર્યો છે. વિસ્તારમાં છ લોકોને બચકા ભરનાર આ તોફાની કપિરાજના કારણે રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ છવાયો હતો.
સોસાયટીના રહીશો કપિરાજના વધતા ત્રાસથી પરેશાન થઈ ગયા હતા. વાંદરાએ પહેલા ત્રણથી ચાર લોકોને બચકા ભર્યા હતા અને બાદમાં તેને પકડવા માટે પાંજરું ગોઠવ્યું ત્યારે વધુ ત્રણ લોકોને બચકા ભર્યા હતા. ત્રાસ એટલો વધ્યો હતો કે, લોકો ઘરથી બહાર નીકળતા પણ ડરતા હતા. સ્થાનિકોની ફરિયાદ બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કપિરાજને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. ચાર ક્લાકની સતત મહેનત પછી ટીમે વાંદરાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી પાંજરે પુર્યો હતો. કપિરાજ પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ દ્વારા હવે વાંદરાનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ તેને યોગ્ય કુદરતી રહેઠાણ ધરાવતા વિસ્તારમાં છોડી મૂકવામાં આવશે.










