![]()
Vadodara : વડોદરા કોર્ટ દ્વારા નેગોશીએબલ એકટ અંતર્ગત તકસીરવાન ઠરેલો અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતો આરોપીને સયાજી ગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો.
સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.જે.પંડયા તથા સેકન્ડ પોલીસ ઇન્સપેકટર એલ.જે.મિયાત્રાના માર્ગદર્શન હેઠળ 7માં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સિવિલ કોર્ટ, દિવાળીપુરા, નાઓ દ્વારા ગુ.મુ.નં.2997/2023થી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ 138 મુજબના કામના આરોપી અજય ચુનિલાલ વાઘોટા (રહે-રૂમ નં 13 આર.સી.દત્ત રોડ સર્કીટ હાઉસ પાસે)નાને કેસમાં કોર્ટ દ્વારા તકસીરવાર ઠેરવી સજા કરવામાં આવેલ હોય આરોપી સજાથી બચવા નાસતો-ફરતો હોય અને મળી આવતો નહી હોય. જેથી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરતા સયાજીગંજ પોલીસની અગલ અગલ ટીમો બનાવી પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હે.કોને અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેક કે, આરોપી હાલ પોતાના ઘરે હાજર છે. બાતમી આધારે તેના ઘરે જઇ તપાસ કરતા આરોપી મળી આવેલ હોય તેને પકડી તેની વિરુદ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે.










