![]()
વડોદરા,શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ખાદ્યપદાર્થોનું તથા અન્ય મીઠાઈ-ફરસાણનું વેચાણ કરતા વેપારીઓ અને અન્ય ધંધાર્થીઓને ત્યાં વડોદરા કોર્પોરેશને ચેકિંગ કર્યું હતું.
મોબાઈલ ટેસ્ટીંગ વાન (ફૂડ સેફટી ઓન વ્હીલ્સ) કારેલીબાગ રાત્રીબજારમાં આવેલી રેસ્ટોરન્ટમાંથી ખાદ્યપદાર્થોના મરચા પાવડર, રેડ ચટણી, પીઝા સોસ, ચીઝ, પનીર વિગેરે ૩૪ નમૂના લઈ સ્થળ પર ટેસ્ટીંગ કરવાની કામગીરી કરાઈ હતી. જેમાંથી ૧૦ રેસ્ટોરન્ટના ૩૨ ફૂડ વેન્ડર્સ અને વર્કર્સને સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન આપ્યું હતું.
શહેરનાં તરસાલી, માંજલપુર, ચોખંડી, રાજમહેલ રોડ, સવાદ, વારસીયા રીંગ રોડ, અલકાપુરી, ઈલોરાપાર્ક, વાઘોડીયા રોડ, સુભાનપુરા, લક્ષ્મીપુરા, એલેમ્બીક સીટી, રાવપુરા, કારેલીબાગ, અકોટા, ઘીકાંટા ચાર રસ્તા, માંજલપુર ગામ, સુસેન, મકરંદ દેસાઈ રોડ, ગોત્રી રોડ, સમા સાવલી રોડ, અમીતનગર સર્કલ, હાથીખાના મેન રોડ, સરદાર એસ્ટેટ વગેરે વિસ્તારમાં ૮૪ સ્થળો પર ચેકિંગ કર્યું હતું. જેમાં ઘી, બરફી, પનીર, માવો, દૂધ સ્વીટ ખોયા, કાજુકતરી, કેસર બાસુંદી, મીલ્કકેક, બદામશેક, બદામ પીસ્તા કેસર શેક, રસગુલ્લા, નાનખટાઈ, કપાસીયા તેલ, સીંગતેલ, કેક, બિસ્કિટ કુકીઝ વગેરેના ૧૨૯-નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. દુકાનદારોને સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી.










