Gujarat Govt Exam: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તાંત્રિક અને બિન-તાંત્રિક પરીક્ષાઓના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો જે બાદ 16 ડિસેમ્બરના રોજ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા ગુણભાર સાથેની વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. આગામી તમામ વર્ગ-3ની ભરતી પરીક્ષાઓ આ નવા સુધારા મુજબ લેવામાં આવશે.
પરીક્ષાની રણનીતિ બદલવી પડશે
આ માળખા પ્રમાણે પરીક્ષાના પ્રશ્નપત્રને બે ભાગમાં જ રાખવામાં આવ્યું છે. અગાઉ ભાગ-B માટે જે 150 ગુણ નિર્ધારિત હતા, તેમાં ઘટાડો કરીને હવે તેને 120 ગુણ કરી દેવાયા છે. જેથી હવે પરીક્ષાની તૈયારી કરતા હજારો ઉમેદવારોને પોતાની રણનીતિ બદલવી પડશે.

કેવું છે નવું માળખું?
આ નવા ફેરફાર મુજબ, હવે પાર્ટ Aમાં 90 ગુણ રહેશે જેમાં તાર્કિક કસોટી, ગાણિતિક કસોટીના 30-30 ગુણ તેમજ બંધારણ, વર્તમાન પ્રવાહો અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણના 30 હશે, પાર્ટ Bમાં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 ગુણ પ્રશ્નો હશે. પાર્ટ Aમાં પહેલા 60 ગુણ હતા જે હવે 90 ગુણ રહેશે. સાથે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 08/11/2023ના ઠરાવોની અન્ય જોગવાઇઓ યથાવત રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ બાદ સુરતમાં પોલીસની ગેરવર્તણૂક, દુકાનમાં ઘૂસીને દુકાનદાર પર કરી દાદાગીરી, વીડિયો વાઈરલ
તાર્કિક પ્રશ્નો પર વધુ ધ્યાન
આ સુધારાની મહત્વની વાત એ છે કે ભાગ-B માં જે-તે જગ્યાને સંબંધિત ટેકનિકલ અથવા ઉપયોગી વિષયો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે, જેથી ઉમેદવારની જે-તે વિષય પ્રત્યે ચોકકસતા માપી શકાય, અગાઉની પદ્ધતિમાં ભાગ-B ના 150 ગુણ હોવાથી પરીક્ષા લાંબી અને સમય માંગી લેતી હતી, પરંતુ હવે ગુણભારમાં ઘટાડો કરીને તેને વધુ તાર્કિક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
08/11/2023ના ઠરાવોની અન્ય જોગવાઇઓ યથાવત રહેશે જે નીચે મુજબ છે











