
– દસડા તાલુકાના ખારાઘોડા ગામમાં
– મોક્ષધામમાં લાકડા રાખવાની અને બેસવાની વ્યવસ્થા ન હોવાથી ડાઘુઓને હાલાકી
પાટડી : દસાડા તાલુકાના ખારાઘોડા ગામમાં વાલ્મિકી અને ઠાકોર સમાજના મુક્તિધામમાં લાકડા રાખવાની અને બેસવાની વ્યવસ્થાના અભાવે ડાઘુઓને હાલાકી પડી રહી છે. જવાબદાર તંત્ર દ્વારા મુક્તિધામમાં તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
દસાડા તાલુકાના કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા ખારાઘોડા ગામમાં સુવિધાઓના અભાવે લોકોને હાલાકી પડી રહી છે.










