![]()
વડોદરા : વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવસટી ઓફ બરોડા (એમએસયુ)વધુ
એકવાર વહીવટી અવ્યવસ્થાના કારણે વિવાદમાં ઘેરાઈ છે. છેલ્લા પાંચ વર્ષથી યુનિવસટી
દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે આઇ-કાર્ડના નાણાં વસૂલવામાં આવે છે, તેમ
છતાં તેમને હાર્ડ કાપીમાં આઇ-કાર્ડ આપવામાં આવ્યા નથી. આ ગંભીર બેદરકારીને કારણે
વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના શૈક્ષણિક કાર્યો સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે.
એનએસયુઆઇના સેક્રેકચરીએ વાઇસ ચાન્સેલરને પત્ર લખીને આ બાબતે
તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. સંગઠન દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે
આઇ-કાર્ડ એ પરીક્ષામાં ઓળખ, યુનિવસટી પેવેલિયનમાં પ્રવેશ, સરકારી શિષ્યવૃત્તિ મેળવવા અને યુનિવસટીના વિદ્યાર્થી હોવાની સત્તાવાર ઓળખ
માટે અત્યંત આવશ્યક દસ્તાવેજ છે. આ કાર્ડના અભાવે વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો
સામનો કરવો પડે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આઇ-કાર્ડના ચેકિંગનો અભાવ હોવાથી
બહારના અસામાજિક તત્ત્વો સરળતાથી યુનિવસટી કેમ્પસમાં પ્રવેશી રહ્યા છે. પરિણામે, યુનિવસટી
પરિસરમાં વિદ્યાર્થીઓની છેડતી, મારામારી અને અશાંતિ
ફેલાવવાની ઘટનાઓ સતત વધી રહી છે, જે વિદ્યાર્થીઓની સુરક્ષાને
ગંભીર જોખમમાં મૂકે છે.
એનએસયુઆઇએ યુનિવસટી સત્તાધીશોને આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે
યોગ્ય કાર્યવાહી કરવા અને વિદ્યાર્થીઓને તાત્કાલિક હાર્ડ કાપીમાં આઇ-કાર્ડ આપવા
માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જો આ સમયમર્યાદામાં તેમની માંગણીઓ સ્વીકારવામાં
નહીં આવે તો યુનિવસટીની હેડ ઓફિસની તાળાબંધી કરવા સહિતનું આંદોલન કરવામાં આવશે અને
તેની સંપૂર્ણ જવાબદારી યુનિવસટી પ્રશાસનની રહેશે, તેવી ચીમકીઆપી છે.










