તખુભાઈ સાંડસુર..(વેળાવદર)
પાલીતાણામાં પૂ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઈ રહેલી ‘માનસ શિવ સંકલ્પ ‘રામકથામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા શિવ સંકલ્પ મિંમાસાથી તૃપ્ત થઈ.બાપુએ બીજાને ત્રીજા દિવસના એટલે કે રવિવાર અને સોમવારે ચિંતનમાં શબ્દની અર્થભંગીનીઓથી સુંદર રીતે પ્રસ્તુતિ કરી સૌની અમી છાંટણાથી ભીંજવ્યા.
દ્રિતીય દિવસના સંવાદમાં બાપુ જણાવે છે કે શિવનો અર્થ થાય છે કલ્યાણ. એટલે કે સમગ્ર જગત, અસ્તિત્વનું કલ્યાણ.બીજું તેનો ભગવાને કરેલો એક સંકલ્પ માનસની રચના કરવાનો છે.આકાશનો ગુણ શબ્દ છે પૃથ્વીનો ગુણ ગંધ છે. વેદ ભેદ ન કરી શકે, પુરુષના શરીરમાંથી વિશેષ ગંધ આવે છે. ગજરાજ પણ મદ જ્યારે જરે ત્યારે ગંધ ફેલાવે છે.
એક વિશેષ પ્રકારની સુગંધનો અનુભવ તે કરાવતા હોય છે. પણ માતૃ શરીરમાં પણ સુગંધ છે. આપણા સ્વભાવની સુગંધ સૌએ ફેલાવવી જોઈએ. વેદોને આપણે અપૌરુષ્ય ગણ્યા છે.તેથી તે પણ સુગંધી છે. આપણે ગુરુકુળમાં પ્રવેશ આપતી વખતે પણ વિદ્યાર્થીઓની ગંધને પારખવી જોઈએ.ગંધ એ દસ પ્રકારની છે.ગંધ અને ગંધર્વમાં એક સૂત્રતા છે.
ગંધર્વ ભગવાન શિવની સુગંધ ફેલાવે છે. સંકલ્પ કરો એટલે શબ્દ આવે છે, શિવ સંકલ્પને અસ્તિત્વ બિરદાવે છે. સંકલ્પ નવ પ્રકારના છે પહેલો સંકલ્પ માનસની રચના કરવાનો શિવ સંકલ્પ.માનસની ચોપાઈ છે તે રૂપમાંથી સ્પર્શ સુધી લઈ ગઈ છે.
રામ સત્યનો પ્રભાવ છે, પ્રેમ રામનો સ્વભાવ છે અને કરુણા રામનો પ્રવાહ છે. બુદ્ધિ મલીન થાય તો તેની શુદ્ધિ જ શુધ્ધ કરે છે. સીતા અને રામ એક જ તત્વ છે. એક સ્ત્રી રૂપે છે અને બીજું પુરુષના રૂપમાં છે. રામનામ મહિમા અપાર છે.
ભેદની ભીંત્યુને તોડવી જોઈએ. ગીતા કહે છે’ સં સર્વેષુ ભૂતેશુ .અહીં બધા સરખા જ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રામનામ છે. રામ નામ મુક્ત કરે છે. રામ નામ વેદનો પ્રાણ છે.રામ બોલવાથી તે સિદ્ધ થવાય પણ મરા મરા કરવાથી શુદ્ધ થવાય, વાલ્મિકી તેનું ઉદાહરણ છે.
તૃતીય દિવસ વચનામૃતમાં બાપુ જણાવે છે કે પાલીતાણા એ વૈચારિક ત્રિવેણી ભૂમિ છે. અહીં ત્રણ મહાપુરુષો હરિ રામ બાપુ ગોદડીયા જેમની ધારા માર્ગી સંપ્રદાય હતી. એવા જ બીજા મહાપુરુષ પૂ.બજરંગદાસ બાપા રામાનંદી સંપ્રદાય અને એવા જ પૂજ્ય રણછોડ ગીરીબાપુ જે દશનામ અખાડામાંથી હતાં.એટલે કે બજરંગદાસ બાપુ સત્ય, રણછોડદાસ બાપુ શિવમ અને હરિરામબાપુ ગોદડિયા એ સુંદરમ. આ ત્રિવેણી મિલનની આ ભૂમિ છે.
જીવ અને શિવના સંકલ્પમાં મુખ્ય તફાવત એ છે કે જીવ સ્વાર્થી હોય છે અને શિવ પરમાર્થી હોય છે. નવ તીર્થો શાસ્ત્ર એ વર્ણવ્યા છે એમાં ખાનદાનનું તીર્થ અને લજ્જાતીર્થ સ્ત્રીઓનું ભૂષણ છે. આપણાથી કેટલાક અપરાધો ન થવા જોઈએ. જેમાં દેહ અપરાધ, દેવ અપરાધ, દિલ અપરાધ અને અંતિમ દીન હીન લોકોનો અપરાધ. તુલસીજી પણ કહે છે કે તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય. એટલે કે કોઈ એવા લોકોનું દિલ દુભાયું અને અપરાધ થઈ ગયો તો તેમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી.
સુનિતા વિલિયમ્સના અવકાશ ગમનની એક વાત આપણી સામે આવે છે કે આટલા દિવસો સુધી જ્યારે તે અવકાશમાં રહે છે અને આખરે જ્યારે તે પૃથ્વીલોકમાં પાછી ફરે છે ત્યારે તે કહે છે કે આ સમયગાળા દરમિયાન મે રામાયણ અને ગીતાને ડાઉનલોડ કરીને ત્યાં એનો અભ્યાસ કર્યો છે કદાચ એટલે જ હું સદેહે પાછી ફરી છું,
આ શ્રધ્ધા છે.શિવનો સમતાવાદ છે કલંકિત લોકોને પણ તે પોતાના કપાળમાં રાખે છે. એવો અઘરો સમતાવાદ શિવ ધરાવે છે. જીવ સંકલ્પ પાપ લિપ્ત હોય અને શિવ સંકલ્પ પુણ્ય લિપ્ત હોય છે.શિવ સંકલ્પ હાર્દિક હોય અને જીવ સંકલ્પ એ બૌદ્ધિક હોય છે.
બાપુએ ત્રણ સંકલ્પોને શિવ સંકલ્પ ગણાવ્યા. જેમાં યોગ્ય માનસની રચના કરવી અને આ કથાનું ગાન કરવું અને ત્રીજો તે કથાને સાંભળવી.










