
Jammu Kashmir News: એપ્રિલ 2025માં પહલગામ આતંકવાદી હુમલો થયો હતો, જેની જવાબદારી આતંકવાદી સંગઠન TRFએ લીધી હતી. હવે આ સંગઠનના સ્થાપક આતંકવાદી સજ્જાદ ગુલ પર મોટી કાર્યવાહી કરાઈ છે. પોલીસે તેની ત્રણ માળની બિલ્ડિંગને સીઝ કરી દીધી છે, જેની કિંમત 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આતંકવાદી સજ્જાદ ગુલે આ બિલ્ડિંગ રોઝ એવેન્યૂ ખાતે 15 મરલા જમીન પર બનાવી હતી. મહેસૂલ વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, પ્રોપર્ટી આતંવાદી સજ્જાદ અહમદ શેખ ઉર્ફ સજ્જાદ ગુલના પિતા ગુલામ મોહમ્મદ શેખના નામ પર દાખલ હતી. પોલીસે આ કાર્યવાહી પરિમપોરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ હેઠળ કરી છે.









