Tips to check for plastic Rice: આજના સમયમાં શુદ્ધ ખોરાક મેળવવો મુશ્કેલ બન્યો છે. દરેક ખાદ્યસામગ્રીમાં ભેળસેળનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો મોંઘા ભાવે ઝેર ખરીદી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને આપણા રસોડામાં રોજ બનતા ચોખામાં પણ હવે નકલી કે પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ થવા લાગી છે. સફેદ અને ચમકદાર દેખાતા આ ચોખા જોવામાં તો સારા લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. જો તમે પણ અજાણતા આવા નકલી ચોખા ખાઈ રહ્યા હોવ તો તે ઘણી ગંભીર બીમારીઓને નોતરી શકે છે. જોકે, થોડી સાવચેતી અને ઘરગથ્થુ પરીક્ષણ દ્વારા તમે અસલી અને નકલી ચોખા વચ્ચેનો તફાવત પારખી શકો છો.
ચોખા પાણીમાં તરે તો થઈ જજો સાવધાન!
ચોખાની શુદ્ધતા તપાસવા માટેનો સૌથી સરળ રસ્તો પાણીનો પ્રયોગ છે. એક વાસણમાં પાણી ભરી તેમાં થોડા ચોખા નાખો; જો ચોખા પાણીમાં ઉપર તરવા લાગે તો સમજી લેવું કે તે નકલી હોઈ શકે છે, કારણ કે અસલી ચોખા હંમેશા પાણીની સપાટી પર નીચે બેસી જાય છે.
ચોખા સળગાવતા જ ખુલી જશે ભેળસેળની પોલ
આ ઉપરાંત, ચોખાને સળગાવીને પણ તેની તપાસ કરી શકાય છે. જો ચોખા સળગતી વખતે પ્લાસ્ટિક જેવી ગંધ આપે, તો તે નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે. શુદ્ધ ચોખામાં ક્યારેય આવી વિચિત્ર ગંધ આવતી નથી.
ફૂગ ન વળે તો સમજો ચોખા છે પ્લાસ્ટિકના
બીજી એક અસરકારક રીત એ છે કે ચોખાને રાંધીને 4-5 દિવસ માટે બહાર ખુલ્લા રાખી દો. જો તેમાં ફૂગ ન વળે અને તે એવા ને એવા જ રહે, તો તે પ્લાસ્ટિકના ચોખા હોઈ શકે છે, કારણ કે અસલી રાંધેલા ચોખા 2-3 દિવસમાં બગડવા લાગે છે અને તેમાંથી વાસ આવવા માંડે છે.
આ પણ વાંચો: રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ
ગરમ તેલનો પ્રયોગ
આ ઉપરાંત, ગરમ તેલમાં મુઠ્ઠીભર ચોખા નાખવાથી જો તે ઓગળીને એકબીજા સાથે ચીપકવા લાગે, તો તે પ્લાસ્ટિકની હાજરી સૂચવે છે.
ચૂનાનું પાણી અને ચોખાની શુદ્ધતા
છેલ્લે, ચૂનાના પાણીમાં ચોખા ડુબાડવાથી જો તેનો રંગ બદલાય તો તે ચોક્કસપણે ભેળસેળયુક્ત છે. આ નાની બાબતોનું મહત્ત્વ સમજીને તમે તમારા પરિવારને ગંભીર બીમારીઓથી બચાવી શકો છો.






