![]()
Sonia Gandhi Statement: કોંગ્રેસ સંસદીય પક્ષના વડા સોનિયા ગાંધીએ ગુરુવારે (25મી સપ્ટેમ્બર) પેલેસ્ટાઈન મુદ્દા પર કેન્દ્ર સરકારના વલણની ટીકા કરી હતી. તેમણે એક લેખમાં લખ્યું કે, ‘સરકારના પગલાં મુખ્યત્ત્વે ભારતના બંધારણીય મૂલ્યો અથવા તેના વ્યૂહાત્મક હિતોને બદલે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વ્યક્તિગત મિત્રતા દ્વારા પ્રેરિત હોય તેવું લાગે છે.’
સોનિયા ગાંધીએ મોદી સરકારના વલણ અંગે શું લખ્યું…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લેખ લખીને મોદી સરકારના વલણની આકરી ટીકા કરી છે. તેમણે લખ્યું કે, ‘વ્યક્તિગત રાજદ્વારીની આ શૈલી ક્યારેય સ્વીકાર્ય નથી અને તે ભારતની વિદેશ નીતિને માર્ગદર્શન આપી શકતી નથી. વિશ્વના અન્ય ભાગોમાં ખાસ કરીને અમેરિકામાં આવું કરવાના પ્રયાસો તાજેતરના મહિનાઓમાં સૌથી દુ:ખદ અને અપમાનજનક રીતે નિષ્ફળ ગયા છે.’
ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ પર છેલ્લા કેટલાક મહિનામાં સોનિયા ગાંધીનો આ ત્રીજો લેખ છે, જે દરેક વખતે આ મુદ્દા પર મોદી સરકારના વલણની આકરી ટીકા કરે છે. સોનિયા ગાંધીએ લેખમાં લખ્યું, ભારતે લાંબા સમયથી ઈઝરાયલ-પેલેસ્ટાઈનના ગંભીર અને સંવેદનશીલ મુદ્દા પર સૈદ્ધાંતિક વલણ અપનાવ્યું છે, શાંતિ અને માનવ અધિકારોના રક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. ભારત 1974માં પેલેસ્ટાઈન લિબરેશન ઑર્ગેનાઇઝેશ (PLO)ને માન્યતા આપનારા પ્રથમ દેશોમાંનો એક હતો અને તેણે સતત બે-દેશ સમાધાનને ટેકો આપ્યો છે.
આ પણ વાંચો: અમેરિકામાં ચોંકાવનારો મામલો, ભારતીય યુવકે બાળકોનું યૌન શોષણ કરનારાને શોધીને કરી હત્યા
ભારત હવે લગભગ પોતાની ભૂમિકા છોડી ચૂક્યું છે
મોદી સરકાર પર આરોપ લગાવતા સોનિયા ગાંધીએ લખ્યું, ‘ઑક્ટોબર 2023માં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે દુશ્મનાવટ વધી ત્યારથી છેલ્લા બે વર્ષમાં ભારતે પોતાની ભૂમિકા લગભગ છોડી દીધી છે. સાતમી ઑક્ટોબર 2023ના રોજ ઈઝરાયલી નાગરિકો પર થયેલા હુમલા પછી 17,000 બાળકો સહિત 55,000થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. ઈઝરાયલી સૈન્ય ખોરાક, દવા અને અન્ય સહાય જેવી આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરીમાં અવરોધ ઊભો કરી રહ્યું છે, જેના કારણે ગાઝાના લોકો દુષ્કાળ જેવી સ્થિતિમાં ધકેલાઈ ગયા છે.
બેન્જામિન નેતન્યાહૂ અને પીએમ મોદી અંગે લખ્યું કે,’મોદી સરકારનું બહેરાશભર્યું મૌન માનવતા અને નૈતિકતા બંનેનો ત્યાગ દર્શાવે છે. એવું લાગે છે કે સરકારના પગલાં ભારતના બંધારણીય મૂલ્યોને બદલે ઈઝરાયલી વડાપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વ્યક્તિગત મિત્રતાથી પ્રેરિત છે. વ્યક્તિગત વ્યૂહનીતિની આ શૈલી ક્યારેય સ્વીકાર્ય નથી અને તે ભારતની વિદેશ નીતિને માર્ગદર્શન આપી શકતી નથી.’










