![]()
વડોદરા, તા.10 શેરબજારમાં રોકાણના બહાને એલઆઇસી એજન્ટ તેમજ અન્ય પાસેથી રોકાણ કરાવી હાથ અધ્ધર કરી દેનાર આજવારોડના ભેજાબાજે રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી કરી હતી.
અટલાદરા વિસ્તારમાં બીલ કલાલીરોડ પર પુષ્પમ હોમ્સ ખાતે રહેતા ઇલેન્દ્રસિંહ નારણસિંહ ચૌહાણ એલઆઇસી એજન્ટનું કામ કરે છે તેમણે અંકુર પુરાણી (રહે.આશાલતાપાર્ક સો. આજવારોડ) સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું એલઆઇસીનું કામ કરતો હોવાથી મારે અંકુરભાઇ સાથે મુલાકાત થતી હતી.
તા.૧૫ ફેબુ્રઆરી ૨૦૨૩ના રોજ હું તેમના ઘેર ગયો ત્યારે તેમણે હું શેર માર્કેટનું કામ કરું છું તેમ જણાવી જો તમે શેર માર્કેટમાં રૃા.૨ કરોડ રોકાણ કરો તો હું દર મહિને ૫ ટકા તેમજ રૃા.૩.૪ કરોડનું રોકાણ કરશો તો ૭ ટકા સુધીનું વળતર આપીશ તેવી લાલચ આપી હતી. તેની આ લાલચમાં હું ફસાઇ ગયો હતો અને મેં મારા કેટલાંક ગ્રાહકોને શેરબજારમાં રોકાણ કરવાની સ્કિમની વાત કરતા ત્રણ ગ્રાહકો તૈયાર થયા હતાં.
મેં કુલ રૃા.૪.૪૯ કરોડ અંકુર પુરાણીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતાં જે અંગે બાંહેધરીનું લખાણ માંગતા તેઓ વાયદા કરતા હતાં. શરૃઆતમાં એપ્રિલ ૨૦૨૩થી નવેમ્બર ૨૦૨૪ સુધી રૃા.૧.૫૫ કરોડ વળતર આપ્યું હતું. મારે તેઓની પાસેથી રૃા.૨૨.૫૦ લાખ લેવાના હતા પરંતુ માત્ર રૃા.૫ લાખ આપ્યા હતા જેથી મેં તેમનો સંપર્ક કરતા અંકુરે જણાવેલ કે હું શેરબજારમાં તમારી તમામ મૂડી હારી ગયો છું, મારી પાસે અત્યારે કોઇ રૃપિયા કે પૈસા નથી તેમ કહી હાથ અધ્ધર કરી દીધા હતાં. આમ રોકાણ પેટે આપેલા રૃા.૪.૪૯ કરોડ અને ડિસેમ્બર ૨૦૨૪થી એપ્રિલ ૨૦૨૫ સુધીના વળતરની રકમ ચૂકવી નહી ઠગાઇ કરી હતી.










