![]()
અમદાવાદ,ગુરુવાર,18 ડિસેમ્બર,2025
ફેબુ્આરી-૨૬માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન
ટર્મ પુરી થઈ રહી છે. આ અગાઉ મતદારોને આકર્ષવા ફરી એક વખત ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ
સુધી પ્રોપર્ટીટેકસના વ્યાજમાં માફી આપવાનો રેવન્યુ કમિટીમાં ઠરાવ કરાયો
છે.જાન્યુઆરી મહિનામા નવી મિલકતો પૈકી રહેણાંકની મિલકતો માટે ૮૫ તથા કોમર્શિયલ
મિલકત માટેના કરદાતાઓને ૬૫ ટકા સુધી વ્યાજમાફી આપવામા આવશે. વ્યાજમાફી યોજનાના
કારણે કોર્પોરેશનને રુપિયા ૫૦૦ કરોડની આવક થવાની સંભાવના વ્યકત કરાઈ છે.
અમદાવાદમાં ૧૫ લાખથી વધુ રહેણાંક તથા ૭ લાખથી વધુ કોમર્શિયલ
મિલકતો આવેલી છે.કુલ મળીને ૨૨ લાખથી વધુ મિલકતોના મિલકત ધારકોને જુની અને નવી ફોર્મ્યુલા મુજબ
પ્રોપર્ટી ટેકસના વ્યાજમા અલગ અલગ સ્લેબમાં માફી આપવાનો નિર્ણય કરાયો છે. રેવન્યુ
કમિટીના ચેરમેન અનિરૃધ્ધસિંહ ઝાલાએ કહયુ,
વ્યાજમાફી સ્કીમ હેઠળ ચાલી અને ઝૂંપડાવાળી મિલકતો માટે વ્યાજમાં સો ટકા માફી
અપાશે.જુની ફોર્મ્યુલા અંતર્ગત ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ-૨૬ સુધી રહેણાંક અને
કોમર્શિયલ બંને પ્રકારની મિલકત માટે ૧૦૦ ટકા વ્યાજમાફી અપાશે.આ વ્યાજ માફી સ્કીમ
વર્ષ-૨૦૨૫-૨૬ના બાકી પ્રોપર્ટી ટેકસ માટે લાગૂ પડશે નહીં.
નવી ફોર્મ્યુલા મુજબ કયારે કેટલી વ્યાજ માફી
મહિનો રહેણાંક(ટકા)
કોમર્શિયલ(ટકા)
જાન્યુઆરી ૮૫ ૬૫
ફેબુ્આરી ૮૦ ૬૦
માર્ચ ૭૫ ૫૦










