
– કેન્દ્રીય પ્રધાન ગડકરીની સંસદમાં જાહેરાત
– ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે : રૂ. 1500 કરોડનું ઇંધણ બચશે,સરકારની આવકમાં રૂ. 6000 કરોડનો વધારો થશે
નવી દિલ્હી : સેટેલાઇટ આધારિત ટોલ ક્લેકશન સિસ્ટમ ૨૦૨૬નાં અંત સુધી સમગ્ર દેશમાં શરૂ થઇ જશે. જેના કારણે યાત્રીઓને ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં અને સરકારની આવકમાં વધારો થશે તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું છે.










