Arvind Kejriwal On Rajya Sabha : પંજાબની લુધિયાણા વિધાનસભા બેઠક અને ગુજરાતની વિસાવદર બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજીવ અરોરા અને ગોપાલ ઈટાલિયાની જીત થઈ છે. બે બેઠકો જીત્યા બાદ AAPના પ્રમુખ અરવિંદ કેજરીવાલને રાજ્યસભામાં મોકલવાની તૈયારીઓ શરુ થઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. વિપક્ષે દાવો કર્યો છે કે, કેજરીવાલ સંજીવ અરોરાની જગ્યાએ રાજ્યસભામાં જશે. જોકે કેજરીવાલે આ મુદ્દે સ્પષ્ટ જવાબ આપી દીધો છે.
‘શું તમે રાજ્યસભામાં જવાના છો’ કેજરીવાલને પૂછાયો પ્રશ્ન