gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી
0
VIEWS
Share on FacebookShare on Twitter


અમદાવાદ, સંજીવ રાજપૂત: સાણંદના વિંછીયા ગામના ખેડૂત ગજેન્દ્રસિંહ વાધેલા દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સાણંદમાં ૧૫ વર્ષથી ગૌશાળા ચલાવતા ગજેન્દ્રસિંહ વાધેલા પ્રાકૃતિક ખેતી કરનાર કોઇપણ ખેડૂતોને મળે ત્યારે સૌ ખેડૂતોને એક પ્રશ્ન રહેતો કે, પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત અને અન્ય ખાતરો બનાવવા માટે ગાયના ગોબર-ગૌમૂત્રની જરૂર પડે છે, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી ગાય ખરીદી શકતા નથી. આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે નિર્ણય કર્યો કે, તેઓ પોતાની ગૌશાળામાંથી જરૂરિયાતમંદ ખેડૂતોને નિ:શુલ્ક ગાયોનું દાન કરશે.

આ પહેલ અંગે વાત કરતા ગજેન્દ્રસિંહ વાધેલા કહે છે કે, હું પોતે છેલ્લાં ઘણાં વર્ષોથી માત્ર પ્રાકૃતિક ખેતી જ કરી રહ્યો છું અને છેલ્લાં ૫-૭ વર્ષથી અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત પણ કરું છું. હું ઘણા બધા ખેડૂતોને મળ્યો ત્યારે મોટાભાગના ખેડૂતો માટે જીવામૃત, ઘનજીવામૃત અને જંતુનાશકો બનાવવા માટે જરૂરી ગાયના ગોબર અને ગૌમૂત્ર મેળવવો એ સૌથી મોટી સમસ્યા હતી. ઘણા ખેડૂતોની આર્થિક સ્થિતિ એવી હોય છે કે તેઓ ગાય ખરીદી શકતા નથી. એટલું જ નહીં,

ગાયનો દૈનિક નિભાવ ખર્ચ ઓછામાં ઓછો ૧૨૫ થી ૧૫૦ રૂપિયા જેટલો થાય છે. ખેડૂતોને આ ખર્ચ પૂરો પાડવો પણ ક્યારેક મુશ્કેલ પડે છે. ખાસ કરીને નાની વાછડીઓને જ્યાં સુધી તે દૂધ આપતી ન થાય ત્યાં સુધી ઉછેરવામાં ખર્ચ પોસાતો નથી, જેના કારણે ખેડૂતોને મોટી ગાયની જરૂર પડે છે. આમ, પ્રાકૃતિક કૃષિને લઇને આ ખેડૂતો માટે ગાયની જરૂરિયાત એક મુખ્ય પડકાર હતો. આ પડકારોને પહોંચી વળવા માટે પોતાની ગૌશાળામાંથી ગાયો નિ:શુલ્ક આપવાનો સંકલ્પ કર્યો, જેથી દરેક ખેડૂતના ઘરે ગાય બંધાઈ શકે અને તેઓ પ્રાકૃતિક કૃષિ અપનાવી શકે. આ પહેલ થકી અત્યાર સુધીમાં લગભગ ૪૦ થી ૫૦ ગાયો ખેડૂતોને નિ:શુલ્ક આપવામાં આવી છે. હાલમાં, તેમની પાસે કુલ ૭૦ ગાયો છે, જેમાં વાછડા અને વાછડીઓનો પણ સમાવેશ થાય છે.

ગજેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના બાપ-દાદાઓનો વારસો જીવંત રાખ્યો છે. ગજેન્દ્રસિંહ વાઘેલાના દાદા અને પિતાનો એવો નિયમ હતો કે ગાય ક્યારેય વેચવી નહીં. આ વારસો જાળવી રાખીને તેમણે સંકલ્પ કર્યો કે ગાય દરેક ખેડૂતના ખીલ્લે બંધાય. એટલું જ નહીં ખેડૂતના ઘરે ગાય હોવાથી તેમને અને તેમના પરિવારને શુદ્ધ ગાયનું દૂધ, ઘી અને છાશ ખાવા મળે છે. આમ, ગાયને ‘હરતું ફરતું દવાખાનું’ માનવામાં આવે છે.

ગજેન્દ્રસિંહ પોતાની ગૌશાળામાંથી જરૂરિયાતમંદ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપે છે. તેઓ ગાય આપતી વખતે ખેડૂત સાથે કરાર પણ કરે છે કે ગાય વેચવી નહીં. જો ખેડૂતને ભવિષ્યમાં ગાય ન પોસાય, તો તે ગાયને પાછી તેમની ગૌશાળામાં મૂકી શકે છે અને તે ગાય પછી બીજા જરૂરિયાતમંદ ખેડૂતને આપવામાં આવે છે. તેઓ ખેડૂતોને મોટી ગાયો પણ આપે છે કારણ કે નાની વાછડીને દૂધ આપતી થાય ત્યાં સુધી ઉછેરવાનો ખર્ચ ખેડૂતને પોસાતો નથી. જોકે, કેટલાક સક્ષમ ખેડૂતોને નાની વાછડીઓ પણ આપવામાં આવે છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદમાં ગરબા આયોજન સ્થળોએથી 14 કિલો જેટલો વાસી ખોરાક ઝડપાયો | Around 14 kg of stale food seized fr…
GUJARAT

નડિયાદમાં ગરબા આયોજન સ્થળોએથી 14 કિલો જેટલો વાસી ખોરાક ઝડપાયો | Around 14 kg of stale food seized fr…

September 28, 2025
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા
GUJARAT

શેરબજારમાં સારા નફાની લાલચ આપી શખ્સે રૂ. 47.56 લાખની છેતરપિંડી આચરી

September 28, 2025
વિરમગામમાં ગોલવાડી દરવાજા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં છકડો ખાબક્યો | A leak occurred in an open storm …
GUJARAT

વિરમગામમાં ગોલવાડી દરવાજા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં છકડો ખાબક્યો | A leak occurred in an open storm …

September 28, 2025
Next Post
પૂરપાટ દોડતી મોંઘેરી કારના ચાલકે 5 લોકોને કચડ્યાં, દિલ્હીના વસંત વિહારની હચમચાવતી ઘટના | Delhi Vasan…

પૂરપાટ દોડતી મોંઘેરી કારના ચાલકે 5 લોકોને કચડ્યાં, દિલ્હીના વસંત વિહારની હચમચાવતી ઘટના | Delhi Vasan...

જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં માઈનોર, મેજર બ્રિજ, બોક્સ કલવટનું નિરીક્ષણ કરાયું

જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં માઈનોર, મેજર બ્રિજ, બોક્સ કલવટનું નિરીક્ષણ કરાયું

સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી | use bis care app …

સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી | use bis care app ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ | …

જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ | …

4 months ago
વડોદરા શહેર પૂર્વ વિસ્તાર ના સૌથી મોટા આદ્ય શક્તિ ગરબા

વડોદરા શહેર પૂર્વ વિસ્તાર ના સૌથી મોટા આદ્ય શક્તિ ગરબા

1 week ago
વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત | Presentation to make proper arra…

વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત | Presentation to make proper arra…

2 months ago
’22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ’, US પ્રમુખના દાવાને જયશંકરે ફગા…

’22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ’, US પ્રમુખના દાવાને જયશંકરે ફગા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ | …

જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ | …

4 months ago
વડોદરા શહેર પૂર્વ વિસ્તાર ના સૌથી મોટા આદ્ય શક્તિ ગરબા

વડોદરા શહેર પૂર્વ વિસ્તાર ના સૌથી મોટા આદ્ય શક્તિ ગરબા

1 week ago
વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત | Presentation to make proper arra…

વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત | Presentation to make proper arra…

2 months ago
’22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ’, US પ્રમુખના દાવાને જયશંકરે ફગા…

’22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ’, US પ્રમુખના દાવાને જયશંકરે ફગા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News