અમદાવાદ,ગુરૂવાર
શહેરના સરખેજ વિસ્તારમાંથી આશરે છ વર્ષ પહેલા એક ૧૭ વર્ષની સગીરા રહસ્યમય સંજોગોમાં લાપત્તા થઇ હતી. જે અંગે કોઇ કડી મળી નહોતી. ત્યારે ક્રાઇમબ્રાંચના તાબામાં આવતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે ઉંડાણ પૂર્વક તપાસ કરીને લાપત્તા થયેલી સગીરાની ભાળ મેળવી છે. જેની ઉમર હાલ ૨૨ વર્ષની છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તેેને છ વર્ષ પહેલા એક યુવક ભગાડીને હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં લઇ ગયો હતો.