
– પાંચ લાખથી વધુ મતદારોનો યાદીમાં સમાવેશ
– યાદીમાંથી 15 ટકા મતદારોની બાદબાકી કરવા ચૂંટણી પંચને સત્તાધીશો તરફથી આદેશ મળ્યો છે : તેજસ્વી
પટના : બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, એવામાં ચૂંટણી પંચે સમગ્ર રાજ્યના મતદારોની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરી છે જેના પ્રાથમિક આંકડા સામે આવ્યા છે. ચૂંટણી પંચનો દાવો છે કે બુથ લેવલ અધિકારીઓએ ઘરે ઘરે જઇને મતદારોની ચકાસણી કરી તો સામે આવ્યું કે ૭.૯૦ કરોડ મતદારોમાંથી ૩૫ લાખથી વધુ મતદારો તેમના સરનામા પર હાજર નહોતા. ૧૭ લાખથી વધુ મતદારો કાયમ માટે અન્ય સ્થળે જતા રહ્યા છે.










