Bihar-Gujarat Train : ભારતીય રેલવે ગુજરાત અને બિહારનો પ્રવાસ કરનારાઓ મુસાફરો માટે મોટો નિર્ણય લીધો છે. રેલવેએ જયનગર-ઉધના સ્પેશિયલ ટ્રેનના ફેરાને બે મહિના સુધી લંબાવી દીધો છે. રેલવેના આ નિર્ણયના કારણે અમદાવાદ અને પશ્ચિમ ભારત જનારા મુસાફરોને મોટી રાહત મળશે. સૌથી વધુ બિહારથી ગુજરાત અને ગુજરાતથી બિહાર પ્રવાસ કરનારાઓને ફાયદો થશે. આ ઉપરાંત રેલવેએ પટણા-ઉધના અને ઉધના-પટણા ટ્રેનોના ફેરાને પણ લંબાવી દીધો છે.
બે મહિના લંબાવાઈ સ્પેશિયલ ટ્રેન
રેલવેએ કહ્યું છે કે, ‘ટ્રેન નંબર 09031/32 જયનગર-ઉધના-જયનગર સ્પેશિયલ ટ્રેનના ફેરાને લંબાવી દેવાયો છે. આ ટ્રેન અગાઉ 27 જુલાઈ સુધી જ દોડાવાની હતી, જોકે હવે તેને બે મહિના લંબાવી 28 અને 29 સપ્ટેમ્બર સુધી દોડાવવાનો નિર્ણય કરાયો છે.’ રેલવેના આ નિર્ણયના કારણે બિહારથી ગુજરાત આવતા મુસાફરોને લાભ મળશે. એટલે કે રોજગાર, વેપાર અથવા પારિવારિક કારણોસર અમદાવાદ, સુરત અને ઉધના તરફ નિયમિત પ્રવાસ કરનારાઓને તેનો ફાયદો થશે.’
આ પણ વાંચો : ‘મેડે…’, અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટના એન્જિનમાં લાગી અચાનક આગ
પટણા-ઉધના ટ્રેનના ફેરામાં પણ વધારો
આ ટ્રેન સપ્તાહમાં બે દિવસ શનિવારે અને રવિવારે જયનગરથી રવાના થતી હતી અને એક્સપ્રેસ ટ્રેન તરીકે સાપ્તાહિત દોડાવાતી હતી, ત્યારે રેલવે ફેરો વધારવાનો જુલાઈમાં બીજી વખત નિર્ણય લીધો છે. આ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, રેલવે પ્રવાસીઓની માંગ અને ટ્રાફિકને ધ્યાને રાખી સમયે સમયે તેની સમીક્ષા કરી રહ્યું છે. આ ઉપરાંત પટણા-ઉધના અને ઉધના-પટણા એક્સપ્રેસ ટ્રેનોના ફેરામાં પણ વધારો કરાયો છે, જેના કાણે હવે બિહાર અને ગુજરાત વચ્ચેની કનેક્વિવિટી વધુ સુલભ થઈ જશે.
આ પણ વાંચો : ટ્રમ્પે 25મી વખત લીધો ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય, કહ્યું- 5 ફાઈટર જેટ તૂટ્યા, પરમાણુ યુદ્ધ થતાં રોક્યું