![]()
આજે કારગીલ વિજય દિન, વીરશહીદોની દેશભક્તિને સલામ : કારગીલ યુદ્ધમાં લાલપુરનાં મેમાણા, કલ્યાણપુરના નગડિયા, મુળીના ટીકર અને કેશોદના કોયલાણા જેવા અંતરીયાળ ગામના યુવાનો સહિત ગુજરાતના 12 યુવાનોની વીરગતિને વંદન
રાજકોટ, : 26 જુલાઇ 1999એ દિવસ ભારતીય સૈન્ય માટે ઐતિહાસિક ગણાય છે. ઓપરેશન વિજયમાં પાકિસ્તાન સામે કારગીલ જે યુદ્ધ ખેલાયું હતું. તેમાં ભારતીય સૈનિકોની બહાદુરીએ દેશને વિજય અપાવ્યો. કારગીલ યુદ્ધનો એક રોમાંચક ઇતિહાસ છે. વીર સૈનિકોની અનોખી ગાથા છે. આ ઐતિહાસિક વિજયમાં ગુજરાતના 12 સૈનિકોએ દેશના સિમાડાને સુરક્ષિત રાખવા માટે શહિદી વ્હોરી હતી.
કાશ્મીરની લદ્દાખ વિસ્તારની નજીક આવેલા કારગીલમાં પાકિસ્તાન સામેના યુદ્ધમાં જાનની બાજી લગાવનાર વીર શહિદોમાં મહિસાગર જિલ્લાના સંતરામપુર જિલ્લાના રૂમાલભાઇ રજાત, અમદાવાદના મુકેશભાઇ રાઠોડ, ખેડાના કપડવંજ તાલુકાના દિનેશભાઇ મોહનભાઇ, સાબરકાઠાંના વિજયનગર તાલુકાના શૈલેષભાઇ નિનામા, જામનગરના કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામના મહિપસિંહ જાડેજા, જામનગરના રમેશભાઇ જોગલ, લાલપુરના મેમણગામના દિલિપભાઇ ચૌહાણ, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભલાભાઇ બારીઆ, કેશોદ તાલુકાના કોયલાણા ગામના હરેન્દ્રગિરી ગોસ્વામી,ભિલોડા તાલુકાના કીશનગઢના કાંતિજી ાકોટવાળ અને દાહોદ જિલ્લાના છગનભાઇ બારીયાનો સમાવેશ થાય છે. ગુજરાતના વીર જવાનોએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. કારગીલ યુદ્ધના ભારતીય સૈનિકોની બહાદુરી આજે પણ દેશપ્રેમી દરેક યુવાન માટે પ્રેરણાદાયી બની રહે છે.










