![]()
દુર્ઘટના
બાદ ત્રણેય બાદ ત્રણેય મેળાના પરવાના સ્થગિત
અકસ્માતમાં
રાઇડમાં સવાર યુવકને પગ અને માથાના ભાગે ઇજા ઃ બીજા યુવકને સામાન્ય ઇજા ઃ
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
વિરમગામ –
નવસારી બાદ વિરમગામમાં મેળામાં દર્ર્ઘટના સર્જાઇ છે. શહેરમાં
શેઠ એમ જે હાઇસ્કૂલના પટાંગણમાં સોમવારે રાત્રિના ખાનગી લોક મેળામાં સિલમ્બો રાઇડ
તૂટતા બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો
હતો.
વિરમગામ
શહેરમાં સિધ્ધનાથ મહાદેવના પરિસરમાં,
શેઠ એમ જે હાઈસ્કૂલના મેદાનમાં અને કેશવલાલ હરપાલ જીનમાં ખાનગી
આયોજકો દ્વારા લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી તંત્ર દ્વારા ૧૫
ઓગસ્ટ સાતમનીથી નિયમોને આધીન ૧૫થી ૨૩ તારીખ સુધી મેળાની પરવાનગી આપવામાં આવી હતી.
દરમિયાન
શેઠ એમ જે હાઇસ્કૂલના પટાંગણમાં આયોજીત મેળામાં સોમવારે રાત્રિના ખાનગી મેળામાં
સિલમ્બો રાઇડની એક્સેલ તૂટતા બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં રાઈડમાં સમીલ
૨૦ વર્ષીય યુવાન વિનીત રાવળેને પગ માથાને પેટના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ રાઈડ
તૂટવાની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ત્યાંથી પ્રાથમિક સારવાર આપી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
આ
ઘટના બાદ નાયબ કલેક્ટર દ્વારા ૧૫થી ૨૩ સુધી આપવામાં આવેલા ત્રણ ખાનગી લોક મેળાની
પરવાનો બીજો કોઈ હુકમ ન થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે પરવાનો સ્થગિત કરવાનો
લેખિત હુકમ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેર તેમજ તાલુકાની ગ્રામીણ
જનતા સાતમ અને આઠમના આનંદ મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.










