
લોકકલા, લોકસાહિત્ય, લોકજીવન, લોકસંસ્કૃતિ અને લોકગીતના પ્રતિકસમા
ધારાસભ્યો અને અધિકારીઓ દ્વાર ત્રિનેત્રેશ્વર મહાદેવની પુજા અર્ચના કરી મેળાને ખુલ્લો મુકાયો ઃ ગ્રામીણ ઓલિમ્પિકમાં રમતવીરો કૌવત બતાવશે
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત એવો તરણેતરનો મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. ચાર દિવસીય આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક અને પશુ સ્પર્ધા પણ યોજાશે. આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરેલા એક પણ મંત્રી આ ઉદ્ધાટન વેળાએ હાજર ન રહેતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્યો અને અધિકારીઓ દ્વાર ત્રિનેત્રેશ્વર મહાદેવની પુજા અર્ચના કરી મેળાને ખુલ્લો મુકાયો હતો.










