જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા ચનાભાઇ સાજણભાઈ ગરચર નામના ૫૫ વર્ષના રબારી જ્ઞાતિના આઘેડ કે જેઓના ભેંસ-પાડી વગેરે પશુઓ નદી કાંઠે ચરતા હતા, જેઓને પરત લેવા માટે ગયા હતા.
દરમિયાન અકસ્માતે નદીમાં પડી જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે હીરીબેન ચનાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના એ.એસ.આઇ.એલ.આર. ચાવડા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધૂ તપાસ હાથ ધરી છે.