![]()
‘અધ્યાપકોને ગાઈડશિપ આપો’નાં પ્લેકાર્ડ સાથે ઉગ્ર દેખાવો- સૂત્રોચ્ચાર
મેઈન બિલ્ડિંગના દરવાજે કાર્યકરોને પ્રવેશતા અટકાવવામાં આવતા પોલીસ સાથે માથાકૂટ પીએચડીની બેઠકો વધારવા અને એડમિશન પોર્ટલ રદ કરવા સહિતના મુદ્દે આવેદન અપાયું
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચડીની બેઠકો વધારવા, જીકાસનું ઓનલાઈન એડમિશન પોર્ટલ રદ કરવા સહિતના ઉચ્ચ શિક્ષણ વિષયક પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણ બચાવ આંદોલનનો પ્રારંભ થયો હતો.આજરોજ અહી ધરણાં, દેખાવો અને સુત્રચ્ચાર બાદ યુનિ.ના મેઈન બિલ્ડિંગમાં વિદ્યાર્થી કાર્યકરોને પ્રવેશતા અટકાવવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. દરવાજાના કાચ તુટતા હતાં. તેમજ વિદ્યાર્થી કાર્યકરો સાથે એક કલાક સુધી મેઈન બિલ્ડિંગના દરવાજે માથાકુટ થતા વાતાવરણ તંગ બની રહ્યું હતું.
રાજય સરકાર દ્વારા કોલેજોમાં પ્રવેશ માટે જીકાસનું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યા બાદ એડમિશનની પ્રક્રિયા ચાર ચાર મહિનાથી ચાલતી રહી છે. અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. યુનિ.એ પીએચડીની પ્રવેશમાં બેઠકો ઘટાડી છે.જેનાથી અનેક યુવા સંશોધકોને નુકશાન થઈ રહ્યું છે. ખાનગી યુનિવર્સિટીઓ ઉપર સરકારનો કોઈ અંકુશન થી. સૌરાષ્ટ્ર યુનિ.માં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતીજાય છે. આ પ્રકારના પ્રશ્નોને લઈને આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજયમાં શરૂ કરવામાં આવનાર શિક્ષણ બચાવ આંદોલનનો રાજકોટથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિ. ખાતે દેખાવો, ધરણાં અને સુત્રોચ્ચાર યોજી શિક્ષણાં વધતા જતા ભ્રષ્ટાચાર સાથે રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
શિક્ષણના પ્રશ્ને આજરોજ અહી પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડો. ઈન્દુવિજયસિંહ ગોહિલ તથા ૫૦૦ વિદ્યાર્થી કાર્યકરોની ઉપસ્થિતિમાં યુનિ. ખાતે આંદોલનનો પ્રારંભ થતા અનેક વિદ્યાર્થી કાર્યકરોએહ ાથમાં પ્લેકાર્ડ સાથે કોલેજ ટીચર્સને પીએચડીની ગાઈડશીપ આપવા સહિતની માંગણી કરી હતી. દેખાવો, સુત્રોચ્ચાર બાદ મેઈન બિલ્ડિંગમાં વિદ્યાર્થી કાર્યકરો પ૩વશવા જતા પોલીસે અટકાવ્યા હતાં. પરિણામે ઝપાઝપી થતા કાચના દરવાજાનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. અલબત કુલપતિ ડો. ઉત્પલ જોશીએ મેઈન બિલ્ડિંગની બહાર આવી આવેદનપત્ર સ્વીકાર્યું હતું. પોલીસ સાથે ઘર્ષણ થતા વિદ્યાર્થી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ધરણાં આંદોલનને લીધે કેમ્પસ ઉપર સતત બેકલાક સુધી વાતાવરણ તંગ જોવા મળ્યું હતું.










