રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા : ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદિ સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં “ઓપરેશન સિંદૂર” અને “નમો કે નામ રક્તદાન” અંતર્ગત જૂના સચિવાલય, ગાંધીનગર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાતાઓનો અવિસ્મરણીય ઉત્સાહ જોવા મળ્યો; રાજ્યના માન. ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે ઉત્સાહભેર રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવી, તેમના આ જીવનરક્ષક કાર્યની સરાહના કરી.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, રાજ્યના તમામ શૈક્ષણીક તેમજ વહિવટી કર્મચારી મંડળો મદદગાર પરિવારના આયોજનથી
ગુજરાતે વિશ્વ વિક્રમ સર્જ્યો —
🔴 ૧ દિવસમાં ૧,૦૦,૦૦૦થી વધુ રક્તદાતા
🔴 ૩૦૦+ થી વધુ રક્તદાન શિબિરો
🔴 રાજ્યના શૈક્ષણિક અને વહિવટી કર્મચારીઓની અપ્રતિમ ભાગીદારી
આ સેવા અભિયાન માનવતાના સાચા મૂલ્યોને જીવંત કરે છે તેમજ આપણી ભારતીય સેવા-સંસ્કૃતિની સહકારભાવના અને માનવતાના મંત્રને ઉજાગર કરે છે.











