વડોદરા,જૂનીગઢી વિસ્તારમાં થયેલા તોફાનમાં પોલીસે ત્રણ આરોપીઓના બે દિવસના રિમાન્ડ લીધા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓેને ઝડપી પાડવા માટે પોલીસે વીડિયો ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
શુક્રવારની રાતે ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના પગલે ટોળું ભેગું થયું હતું. સિટિ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને ટોળાએ નારાબાજી શરૃ કરી હતી. ત્રણ આરોપીઓને ટોળાની ઉશ્કેરણી કરતા ટોળાએ જૂનીગઢી વિસ્તારમાં જઇ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં પોલીસ જવાન સહિત બે ને ઇજાઓ પહોંચી હતી.










