Agra Taj Mahal: ભારત સરકાર દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ તાજમહેલ છેલ્લા પાંચ વર્ષોમાં ટિકિટ વેચાણ દ્વારા ASI-સંરક્ષિત સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનાર સ્મારક રહ્યુ છે.
આ પણ વાંચો: ‘અહીં માત્ર ડિલિવરી એપ બને છે’, સ્ટાર્ટઅપ્સ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી, અનેક કંપનીઓએ કરી ટીકા
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને ગુરુવારે રાજ્યસભામાં પૂછવામાં આવ્યું હતું કે, ‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ છેલ્લા પાંચ વર્ષોમાં વિવિધ સ્મારકોમાં પ્રવેશ ટિકિટના વેચાણમાંથી કેટલી રકમ મેળવી છે. વર્ષ પ્રમાણે અને સ્મારકવાર માહિતી આપવી અને છેલ્લા પાંચ વર્ષમાં કયા સ્મારકોએ પ્રવેશ ટિકિટના વેચાણ દ્વારા સૌથી વધુ આવક મેળવી છે?’ આ પ્રશ્નનો તેમણે લેખિતમાં જવાબ આપ્યો હતો.
વિશ્વની સૌથી સુંદર ઇમારતોમાંની એક છે તાજમહેલ
મંત્રીએ આ પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી શેર કરી હતી, જેમાં નાણાકીય વર્ષ 19-20 થી નાણાકીય વર્ષ 23-24 સુધીના ચક્ર માટે કોષ્ટક સ્વરૂપમાં ડેટા શેર કર્યો હતા. માહિતી પ્રમાણે પાંચ વર્ષમાં તાજમહેલે ટોચનું સ્થાન મેળવ્યું છે. મુઘલ સ્થાપત્યની આ અજાયબી 17મી સદીમાં સમ્રાટ શાહજહાં દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને તેને વિશ્વની સૌથી સુંદર ઇમારતોમાંની એક માનવામાં આવે છે.
આ પણ વાંચો: ‘બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ’, વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
વર્ષ 2019-20માં બીજા ક્રમે દિલ્હીનો કુતુબ મિનાર
સમાચાર એજન્સીના ડેટા પ્રમાણે નાણાકીય વર્ષ 2019-20માં આગ્રા કિલ્લો બીજા ક્રમ પર તો દિલ્હીનો કુતુબ મિનાર ત્રીજા ક્રમે રહ્યો હતો. નાણાકીય વર્ષ 20-21 માં તમિલનાડુના સ્મારકોના જૂથ મમલ્લાપુરમ અને સૂર્ય મંદિર (કોણાર્ક) બીજા અને ત્રીજા ક્રમે હતા. નાણાકીય વર્ષ 23-24માં દિલ્હીનો કુતુબ મિનાર અને લાલ કિલ્લો બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા હતા.