અમદાવાદ,શનિવાર
નરોડામાં રહેતી મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યોે છે. બે મહિના સુધી સારી રીતે રાખી હતી અને ત્યારબાદ પતિના ત્રીજા લગ્ન અને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની જાણ થતાં માનસિક શારિરીક ત્રાસ આપતા હતા એટલું જ નહી પતિને વિદેશ જવા માટે રૃા. ૨૦ લાખ રૃપિયા લાવવાની મહિલાએ ના પાડતાં સગર્ભા હોવા છતાં માર મારીને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિના ત્રીજા લગ્ન છતા અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની જાણ થતાં મહિલાને માનસિક શારિરીક ત્રાસ આપીને મારી નાંખવાની ધમકી આપી
નરોડામાં રહેતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં કૃષ્ણનગર ખાતે રહેતા પતિ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાને મામીના ભાઇ સાથે પ્રેમ સંબંધ થતાં બન્નેએ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ મહિલા સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. જ્યાં બે મહિના સુધી સારી રીતે રાખવામાં આવી હતી.
ત્યારબાદ સાસરીયા દ્વારા મહેણાં ટહોણા મારવામાં આવતા હતા પતિએ અગાઉ બે વખત લગ્ન કર્યા હતા તે વિશે પૂછતાં તકરાર કરીને મારઝૂડ કરવામાં આવી હતી એટલું ન નહી પતિને અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ હોવાની ખબર પડતાં સાસરીયાને જાણ કરતાં તકરાર કરીને ગાળો બોેલીને મારી નાખવાની ધમકી આપી હતી પતિને વિદેશ જવાનું કહીને રૃા. ૨૦ લાખ પિયરમાંથી લાવવા માટે દબાણ કરતા હતા મહિલાએ ના પાડીતો સગર્ભા હોવા છતાં માર મારીને તગેડી મૂકી હતી. આ ઘટના અંગે નરોડા પોલીસે માનસિક શારિરીક ત્રાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










